વિજયભાઈ રૂપાણી ગૌશાળા ઉપર વરસી પડયા: ૨૨ લાખનું દાન
વિજયભાઈ રૂપાણી ગૌશાળા ઉપર વરસી પડયા: ૨૨ લાખનું દાન
રાજયસભાના સભ્ય તરીકેના ફંડમાંથી રાજકોટ અને મોરબીની ગૌશાળાને ફાળવણી
રાજકોટ
રાજયસભાના સભ્ય વિજયભાઈ રૂપાણીએ પોતાના રાજયસભાના સભ્ય તરીકેના ફંડમાંથી રાજકોટ અને મોરબીની ગૌશાળાને ૧૧–૧૧ લાખનું દાન આપી ગૌપ્રેમીઓને રાજી રાજી કરી દીધા છે. વિજયભાઈ રૂપાણીએ રાજકોટની શ્રીજી ગૌશાળાને ૧૧ લાખ અને મોરબી પાંજરાપોળને ૧૧ લાખ મળી કુલ ૨૨ લાખ રૂપીયાના દાનની આજે જાહેરાત કરતાં ગૌપ્રેમીઓ આ જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.