|
|
| |
 |
એસબીઆઈના મેનેજર અને ડ્રાઈવર પીધેલી હાલતમાં ઝડપાયા |
 |
 |
|
|
| |
|
|
 |
|
|
| |
સુરેન્દ્રનગર,વઢવાણ,દૂધરેજ,જો.નગર અને રતનપરની અંદાજે ૪.પ૦ લાખ શહેરીજનોને પીવાનાં પાણી માટે વિકટ જળ સમસ્યા સર્જાઈ છે. ધોળીધજા ડેમનું તળીયુ દેખાતા અને વરસાદના દિવસો હજુ દૂર હોવાથી તંત્ર દ્વારા છ દિવસે પાણી અપુરતો પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે. આવા સંજોગોમાં શહેરીજનોને પીવાનું પાણી મળી રહે તે માટે સદસ્ય જયેશ ચૌહાણ દ્વારા ૧ દિવસનાં પ્રતિક ઉપવાસ પર બેસી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ૧૭ મે સુધીમાં નર્મદાના નીર ધોળીધજા ડેમમાં ઠાલવવા માંગણી કરી જો નર્મદાનાં નીર નહી ઠલવાઈ તો તા.૧૮ મેથી વઢવાણ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા, જયેશ ચૌહાણ, સુબોધ જોષીની આગેવાની હેઠળ અચોક્કસ પ્રતિક ઉપવાસ ધરણાની ચિમકી ઉચ્ચારી હતી. આથી તંત્ર દ્વારા નર્મદાના નીર નહી અપાતાં આજે સવારે ૧૦-૦૦ કલાકથી ખીજડીયા હનુમાન ખાતે ઉપવાસ છાવણી નાખી જળ સત્યાગ્રહ આંદોલનનો પ્રારંભ કરાયો છે.
જળ સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના આગેવાનો ભલજીભાઈ સોલંકી, હિમાંશુ વ્યાસ, મોહનભાઈ પટેલ, પી.ડી.રાઠોડ, જશુભા ઝાલા, રામજીભાઈ ગોહીલ, તુલશીભાઈ મહેશ્વરી, અપૂર્વ કોઠારી, જગદીશ પરમાર, રોહીત પટેલ, બીપીનભાઈ ખાંભલા, છનાલાલ બજવાણીયા, લક્ષ્મણભાઈ પરમાર, કમલેશભાઈ કોટેચા, નૌશાદભાઈ સોલંકી તથા ન.પા.કોંગ્રેસ સદસ્યો,કાર્યકરો અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા છે. શહેરનો પાણી પ્રશ્ન વિકટ બનતા શહેરીજનો પણ મોટી સંખ્યામાં જળ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત રહેતા મોટી સંખ્યામાં આંદોલનને સમર્થન મળી રહ્યું છે.! પીવાનાં પાણીમાં માટે ઝાલાવાડમાં આંદોલનનો પ્રારંંભ થતાં નપાણીયા રાજકારણીયો, અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે. આ અંગે ઉપાવાસીઓએ આજકાલને જણાવ્યું કે, સુરેન્દ્રનગર-વઢવાણની જનતાને પીવાના પાણીની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી ઉપવાસ, ધરણા ચાલુ રાખવામાં આવશે. ધારાસભ્ય,સરકારી તંત્રએ નર્મદાનાં નીર આપવાની જાહેરાત કરી હતી તે પોકર સાબીત થતાં આંદોલનનો રસ્તો ના છુટકે અપનાવવો પડ્યો છે. આથી શહેરીજનોને પીવા માટે નર્મદાના નીર ધોળીધજા ડેમમાં નહી ઠાલવવામાં આવે ત્યાં સુધી આ અંદોલન જનહીતાર્થે ચાલુ રાખવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.
|
 |
 |
 |
kyf¡ÞÖ_Nf_p AÞe kdpQpfp¡ |
 |
| |
|
 |
fpS>L$p¡V$ Aph©rs il¡f Æëgp¡ kyf¡ÞÖ_Nf S|_pNY Adf¡gu AÞe |
 |
h^y kdpQpfp¡ |
 |
|
| |
|