આવતા મહિને ઇંગ્લેન્ડમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી લીગ ક્રિકેટ ટુનર્મિેન્ટ માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૌના આશ્ર્ચર્ય વચ્ચે ગૌતમ ગંભીર અને યુવરાજસિંઘનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આજે મુંબઇમાં મળેલી બીસીસીઆઇના પસંદગીકારોની બેઠકમાં લાંબી મથામણના અંતે ટીમની પસંદગી કરવામાં આવી હતી.
લંડનમાં આ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂનર્મિેન્ટ 6ઠ્ઠી જૂનથી 23 જૂન દરમિયાન રમાવાની છે અને તેમાં પાકિસ્તાન, વેસ્ટઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાની છે.
સંદીપ પાટીલના અધ્યક્ષસ્થાને આજે મળેલી પસંદગીકારોની બેઠકમાં જે નામ પસંદ કરવામાં આવ્યા હતા તેમાં મુરલી વિજય, દિનેશ કાર્તિક, અમિત મિશ્રા, રોહિત શમર્,િ રવિન્દ્ર જાડેજા, એમ.એસ.ધોની, શિખર ધવન, વિરાટ કોહલી, સુરેશ રૈના, આર.અશ્ર્વિન, ઇરફાન પઠાણ, ભુવનેશ્ર્વરકુમાર, ઇશાંત શમર્િ અને વિનયકુમારનો સમાવેશ થાય છે.