ભાવનગરના સાંસદ રાજેન્દ્રસિંહ રાણાનો આજે જન્મદિવસ છે. તા.22-5-1956ના રોજ જન્મેલા રાજેન્દ્રસિંહ આજે સફળતમ જીવનયાત્રા અને ઝગમગતી રાજકીય કારકીર્દિ સાથે 57 વર્ષ પૂર્ણ કરી 58મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
સતત પાંચ ટર્મથી ભાવનગરના સાંસદ તરીકે ચુંટાઈ આવતા રાજેન્દ્રસિંહ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે અને વર્ષોથી ભાવનગરમાં સ્થાયી થયા છે. શાંત, સૌમ્ય અને સરળ સ્વભાવ
ધરાવતા રાજેન્દ્રસિંહ રાણા આમ જનતામાં ‘રાજુભાઈ રાણા’ના નામે લોકપ્રિય છે. મુળભુત રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકતર્િ અને પછીથી ભાજપમાં સક્રિય થઈ તેઓએ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રાજયભરમાં ભાજપ્ના સંગઠનને મજબુત બનાવ્યું હતું.
‘કાંટે કી ટકકર’ વાળી ભાવનગર લોકસભાની બેઠકમાં તેઓએ લોકસેવા સરળ સ્વભાવ તેમજ કલીન ઈમેજના જોરે હરીફોને મહાત આપી સતત પાંચમી વાર ચૂંટણી જંગ જીતી લીધો હતો.
જીવનનાં આગામી વર્ષોમાં તેઓ અપાર સફળતાં હાંસલ કરે અને દિવસે-દિવસે સિધ્ધિ-પ્રસિધ્ધિનાં શિખરો સર કરે અને વધુને વધુ લોકચાહના પ્રાપ્ત કરે તેવી જન્મદિને ‘આજકાલ’ પરિવારે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમના મોબાઈલ નં. 94262 11999 છે.