કયારેય પણ ધૂમ્રપાન કર્યું ના હોય તેવા લોકોનું પ્રમાણ રાજયમાં સરેરાશ ૬૧%

  • March 13, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધૂમ્રપાનથી થતાં નુકસાન અંગે જાગૃતિ આવે તેના માટે દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારની ઉજવણી નો સ્મોકિંગ ડે' તરીકે કરવામાં આવે છે. ગુજરાતમાંથી ૧૦માંથી સરેરાશ ૩ વ્યકિત દરરોજ સ્મોકિંગ કરવાની કુટેવ ધરાવે છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર જેમણે કયારેય ધૂમ્રપાન કયુ ના હોય તેનું પ્રમાણ ગુજરાતમાં સરેરાશ ૬૧ ટકા છે. જેમાં શહેરી વિસ્તારમાંથી ૬૯.૫ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૫૪.૭૦ ટકા દ્રારા કયારેય ધૂમ્રપાન કરવામાં આવ્યું નથી. ગુજરાતમાંથી શહેરી વિસ્તારમાં ૨૫.૮ ટકા, ગ્રામ્ય વિસ્તારમાંથી ૩૯.૩ ટકા દરરોજ ધૂમ્રપાન કરવાની ટેવ ધરાવે છે. આમ, રાયમાં દરરોજ સ્મોકિંગ કરનારાનું પ્રમાણ ૩૩.૫ ટકા છે. આ સરવે અનુસાર શહેરી વિસ્તારમાંથી ૨.૯ ટકા, ગ્રામ્ય વિસ્તારમાંથી ૩.૯ ટકા અને સરેરાશ ૩.૫ ટકા સાહમાં એકાદ વાર ધૂમ્રપાન કરી લે છે. આ સિવાય શહેરી વિસ્તારમાંથી ૧.૧ ટકા, ગ્રામ્યમાંથી ૧.૨ ટકા અને સરેરાશ ૧.૨ ટકા મહિનામાં એકાદ વખત ધૂમ્રપાન કરી લેતા હોવાનું સામે આવ્યું છે.
આ હેલ્થ સર્વેમાં એવી પણ વિગત સામે આવી છે કે તમાકુનું સેવન કરનારા ૩૮ ટકા પુષ, ૯ ટકા મહિલા ૧૫થી વધુ વયના છે. ડોકટરોના મતે ગુજરાતમાં નોંધાતાં કેન્સરના કેસમાંથી ૪૩ ટકામાં તમાકુનું સેવન જવાબદાર હોય છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાત કેન્સર રીસર્સ ઈન્સ્િટટુટ ખાતે નોંધાયેલા કેન્સરના કુલ ૧૬૨૩૯ કેસમાંથી ૭૧૦૫માં તમાકુનું સેવન જવાબદાર હોવાનું સામે આવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application