જાન્યુઆરીમાં રૂ.2.2 લાખ કરોડ અને ફેબ્રુઆરીમાં થયું રૂ.2.17 લાખ કરોડનું ટ્રેડિંગ : રાજ્યમાં ફેબ્રુઆરી સુધીમાં નોંધાય 19.4 લાખ સક્રિય રોકાણકારો
ગુજરાતના ઇન્ડિવિજ્યુઅલ ઈન્વેસ્ટર્સના બિઝનેસએ ભારતીય ઈક્વિટી બજારોના કુલ ટર્નઓવરમાં નવી ઊંચાઈ મેળવી છે. એનએસઇના ડેટા અનુસાર, ગુજરાતના વ્યક્તિગત રોકાણકારોએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શેરબજારોમાં સંયુક્ત રીતે રૂ. 4.37 લાખ કરોડનું ટ્રેડિંગ કર્યું હતું,- જે રાજ્યમાંથી મૂલ્યની દ્રષ્ટિએ અત્યાર સુધીનું સૌથી વધુ ટ્રેડિંગ ટર્નઓવર છે. ઇન્ડિવિજ્યુઅલ ઈન્વેસ્ટર્સની સીરીઝમાં વ્યક્તિગત સ્થાનિક રોકાણકારો, એનઆરઆઈ, વ્યક્તિગત ફર્મસ અને હિન્દુ અવિભાજિત કુટુંબોનો સમાવેશ થાય છે.
રૂ.4.37 લાખ કરોડમાંથી જાન્યુઆરીમાં રૂ.2.2 લાખ કરોડનું ટ્રેડિંગ થયું હતું જ્યારે ફેબ્રુઆરીમાં રૂ.2.17 લાખ કરોડનું ટ્રેડિંગ નોંધાયું હતું. સમગ્ર ભારતમાં શેરબજારના કુલ ટર્નઓવરમાં ગુજરાત 11.9% ધરાવે છે. તે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે જે ભારતીય ઇક્વિટી બજારોમાં કુલ ટ્રેડિંગ ટર્નઓવરના 21.5% ધરાવે છે. શહેર સ્થિત સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેક્ટર ગુંજન ચોક્સીએ જણાવ્યું કે, “કોવિડ-19 થી, ભારતીય ઇક્વિટી માર્કેટમાં રોકાણકારોની છૂટક ભાગીદારી વધી છે. સારા વળતર અને તેજીની દોડે ઇન્વેસ્ટમેન્ટ તરફ રોકાણકારોના આકર્ષણને વધુ વેગ આપ્યો છે. સેકન્ડરી માર્કેટમાં રોકાણકારોની વધતી જતી સંખ્યા સક્રિય થઈ રહી છે અને હાઇ વેલ્યૂ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરી રહી છે. આના કારણે મુખ્યત્વે ગુજરાતમાંથી રિટેલ રોકાણકારોના ટર્નઓવરમાં વધારો થયો છે.”
નિષ્ણાતોના મતે, 11 વર્ષના લાંબા વિરામ પછી, શેરબજારમાં વ્યક્તિગત રોકાણકારોની સીધી ભાગીદારીથી નાણાકીય વર્ષ 21 અને નાણાકીય વર્ષ 22ના બે વર્ષમાં રોકાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, કારણ કે વ્યક્તિગત રોકાણકારો મોટા પાયે ઇક્વિટી બજારો તરફ વળ્યા છે અને ઘટતા બેન્ક વ્યાજ દરો વચ્ચે મર્યાદિત રોકાણના માર્ગો સાથે જોડાઈ રહ્યા છે.
નાણાકીય વર્ષ 21 અને નાણાકીય વર્ષ 22 દરમિયાન વ્યક્તિગત રોકાણકારોનું રોકાણ રૂ. 2.3 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું, જે નવા રોકાણકારોની નોંધણીમાં વધારો અને એકંદર રોકડ સેગમેન્ટના ટર્નઓવરમાં તેમના હિસ્સામાં થયેલા વધારા દ્વારા ચિહ્નિત થયેલ છે. એનએસઇના મૂડી બજારમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં રૂ. 24.6 લાખ કરોડનું ટર્નઓવર થયું હતું. ગયા વર્ષે ઓગસ્ટમાં રૂ. 16.8 લાખ કરોડથી ટર્નઓવર જાન્યુઆરીમાં રૂ. 24.9 લાખ કરોડની ટોચે પહોંચ્યું હતું.
નોંધનીય છે કે, ફેબ્રુઆરીમાં એનએસઇ કેશ માર્કેટ સેગમેન્ટમાં 1.5 કરોડ સક્રિય વ્યક્તિગત રોકાણકારોની રોકાણકારોની ભાગીદારી સતત બીજા હાઇ લેવલએ નોંધાઈ હતી. જ્યારે મહારાષ્ટ્રમાં 30.1 લાખ સક્રિય રોકાણકારો છે, ગુજરાતમાં આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં 19.4 લાખ સક્રિય રોકાણકારો છે. વ્યક્તિગત રોકાણકારોના કુલ યોગદાનના સંદર્ભમાં મહારાષ્ટ્ર અને ગુજરાતે ફેબ્રુઆરીમાં અનુક્રમે રૂ. 3.78 લાખ કરોડ અને રૂ. 2.17 લાખ કરોડનું ટર્નઓવર નોંધાવીને ટોચના ત્રણ રાજ્યોમાં તેમનું સ્થાન જાળવી રાખ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવતી ‘ચુનાવની પાઠશાળા’
May 01, 2024 09:01 PMરાજકોટ સંસદીય વિસ્તારમાં સામૂહિક મહેંદી દ્વારા મહિલાઓનો મતદાન જાગૃતિનો પ્રેરક પ્રયાસ
May 01, 2024 08:59 PMદરેડમાં કારખાનેદારોને મળ્યા કોંગ્રેસના ઉમેદવાર...પડતર પ્રશ્નો અંગે કરી ચર્ચા
May 01, 2024 07:18 PMજાત મહેનત જિંદાબાદ... વરણા ગામમાં ગામ લોકોના આર્થિક સહયોગથી વિશાળ ડેમ બનાવ્યો..
May 01, 2024 07:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech