બેકટેરિયા અને વાયરસ–બન્નેમાં શો ફરક? બન્ને બધે વખતે નુકશાન જ કરે છે કે તેનાથી ફાયદો પણ થાય છે
ઉત્તર : બેકટરિયા અને વાયરસ એટલે રોગ, એવું મનાય છે. બંને ભિન્ન છે. કેટલાક બેકટરિયા (પ્રજીવકો)ને કારણે રોગ થાય છે એ વાત સાચી છે, પણ ફાયદો કરનાર પ્રજીવકો પણ હોય છે. બે હજાર પ્રકારના બેકટરિયામાંથી મોટા ભાગના ફાયદો કરનાર હોય છે. મોટા ભાગના બેકટરિયા માધ્યમ દ્રારા દૂધમાંથી દહીં બનાવનારા જીવો તો બેકટરિયા (પ્રજીવકો) જ છે. ફાટી ગયેલા દૂધના એક ટીમાંથી ૧૦ કરોડ બેકટરીયા હોઇ શકે. બેકટરીયા સર્વત્ર છે. મોંમા, નાકમાં, દાંતમાં કે આંતરડામાંથી માંડીને ખરેલાં પાંદડામાં, કપાયેલા વૃક્ષના થડમાં, મરેલા પશુના હાડપિંજરમાં, પીવાલાયક પાણીમાં, દૂધ–દહીંમાં અને ખોરાક–પાણીમાં બેકટરિયા હોય છે.
બેકટરિયામાં પ્રાણી અને વનસ્પતિ બંનેના ગુણો હોઇ શકે. કોષ વિભાજનથી બેકટરિયા એકના બે અને અનેક થઇ વૃધ્ધિ પામે છે. બેકટરિયાના અનેકાનેક ચિત્ર–વિચિત્ર આકારો હોય છે. એ જોતાં એવા આકારના કોઇ મોટા કદના પ્રાણીને જોઇએ તો આપણે બી મરીએ. આપણે બેકટરિયાને નરી આંખે જોઇ શકતા નથી એ સારૂં છે.
હવામાં ઉડતા બેકટરિયાને શ્ર્વાસ દ્રારા નાકમાં જતાં જોઇને શ્ર્વાસ થંભી જાય. રોટલી ઉપર ફરતાં અને દૂધ–દહીંકે પાણીમાં તરતા બેકટરિયાને નરી આંખે જો જોતા થઇએ તો ખાવા પીવાનું ભુલાઇ જાય. બેકટેરીયાની ઓળખ સત્તરમી સદીમાં થઇ હતી. બેકટરિયા પહેલેથી અસ્તિત્વ થો ધરાવતા જ હતા, પરંતુ તેમનો પરિચય નહોતો થઇ શકયો. માઇક્રોસ્ક્રોપની શોધ થઇ ત્યારબાદ બેકટરિયાની શોધ શકય બની હતી. ઓગણીસમી સદીમાં વિજ્ઞાની લૂઇ પાશ્ર્વરે સંશોધનોના આધારે જાણી શકાયું કે બેકટરિયા મનુષ્યોને થનારા વિવિધ રોગોમાં સક્રિયતા ધરાવે છે એટલે કે આપણને જે તાવ આવે છે, ખાંસી થાય છે કે બીજી બધી બીમારીઓ લાગુ પડે છે તેમાં બેકટરિયા ભાગ ભજવે છે. બેકટરિયાને સૂમ જીવાણુ તરીકે ઓળખવામાં આવે છે. બેકટરિયાને જુદી જુદી રીતે તારવવામાં આવે છે. પહેલી રીત છે આકારના આધારે કોસી નામના બેકટરિયા ગોળાકાર હોય છે.
બેસિલિ નામના બેકટરિયા લાકડી જેવા સીધા હોય છે યારે સ્પિરિલા નામના બેકટરિયા સર્પિલ આકારના હોય છે.
આ ઉપરાંત બેકટરિયાને ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવના આધારે પણ અલગ તારવવામાં આવે છે.
ગ્રામ પોઝિટિવ એટલે તેઓ કેટલા પ્રમાણમાં રગં ધરાવે છે જેના આધારે તેમને માઇક્રોસ્કોપમાં આસનીથી જોઇ શકાય. ત્રીજી રીત છે ઓકિસજનના આધારે ઓકિસજનની હાજરીમાં તેઓ જીવી શકે છે કે નહીં તેના પર તેમને અલગ તારવવામાં આવે છે.
હાનિકર્તા બેકટેરિયાને સીધાં જ મારી નાંખવામાં આવે છે અથવા તો તેમની વૃધ્ધિ અટકાવી દેવામાં આવે છે.
આ ઉપરાંત તેમનો ઉપયોગ એન્ટિબાયોટિકસમાં પણ કરવામાં આવે છે. એટલે કે બે દુશ્મન બેકટેરિયા મળે તો ફાઇટ થાય અને હાનિકર્તા બેકટરિયા મળે તો ફાઇટ થાય અને હાનિકર્તા બેકટેરિયા મૃત્યુ પામે ટૂંકમાં એન્ટિબાયોટિકસમાં બેકટરિયાને એટલાં સક્ષમ બનાવી દેવામાં આવે છે કે તે હાનિકર્તા બેકટરિયાની સામે જીવી જ જાય અને રોગમાંથી મુકિત અપાવે. વળી વાયરસ વિષાણુઓ તો એથી એ બારીક જીવો છે. વાયરસ તો એટલા સુમ જીવો છે કે ઇલેકટ્રોન માઇક્રોસ્કોપ (અતિસૂમદર્શક યંત્ર) વડે જ જોઇ શકાય. આ વિષાણુઓ તો જીવતા કોષમાં જ વૃધ્ધિ પામે છે અને બેવડાય છે. પ્રાણીઓ, વનસ્પતિ કે બેકટરિયાના કોષના ના હોય તે નિર્જીવ વાયરસ પણ હોઇ શકે.
વાયરસ એ સજીવ–નિર્જીવ બન્નેના ગુણધર્મેા ધરાવે છે. એ ગમે ત્યારે નિર્જીવ જેવા શુષુત્પ થઇ શકે છે. એટલે જ કોઇ દવા દ્રારા વાયરસને કાબુમાં લેવા મુશ્કેલ બને છે. એ પોતાનો ગુણધર્મ બદલે એ પહેલાં જો દવાની અસર તેના પર થાય તો જ તેનાથી થતા રોગ પર કાબુ મેળવી શકાય. માણસને અને અન્ય પ્રાણીઓને નુકશાન પહોંચાડનારાને 'એનિમલ' વાયરસ કહે છે અને વનસ્પતિને નુકસાન પહોંચાડનારાને પ્લાન્ટ વાયરસ કહે છે.
માણસો કે પ્રાણીઓને ચેપ લગાડતા વિષાણુઓ શ્ર્વાસ દ્રારા કે ખોરાક–પાણી ખાતાં–પીતાં ગળતાં–ચગળતાં અથવા ચામડીનાં છિદ્રો દ્રારા શરીરમાં પ્રવેશ શકે છે. કેટલાક વાયરસ કોષોમાં જ વૃધ્ધિ પામીને જીવતં કોષોનો મારતા હોય છે. કેટલાક વિષાણુઓ બે કોષોને જોડતા ભાગને મારી નાખે છે તો કેટલાક ક્રમશ: નસ–ધમની–શિરાના ભાગને નિર્જીવ કરી નાખી શકે આમ બેકટરિયા અને વાયરસ બન્ને ભિન્નતા ધરાવે છે
છગનલાલ કચ્છી–ભુજ
રેડિયેશન એટલે શું?
– વિરાણી જિજ્ઞાસા (રાજકોટ)
ઉત્તર : જાપાનમાં આવેલા સુનામીના પગલે ફુકુશિમા ન્યુકિલઅર પાવર પ્લાન્ટમાં ઉદભવેલી ખામીને કારણે રેડિયેશનનો ભય માત્ર જાપાન જ નહીં પણ રશિયાના અમુક વિસ્તારો અને ફેલિફોર્નિયા સુધી જોવા મળ્યો હતો. રેડિયેશન એટલે શું? તે કેવી રીત કામ કરે છે અને તેનાથી થતા ફાયદા–ગેરફાયદા વિશે માહિતી મેળવીએ...
રેડિયેશનનો સાદો અર્થ થાય–મોજાનાં સ્વરૂપે ઉત્સર્જિત કિરણોનું વિસર્જન, રેડિયેશનમાં અલ્ફા, બીટા અને ગામા કણોનો સંપુટ હોય છે., કોઇ નકકર માધ્યમની મદદથી (પેપર, એલ્યુમિનિયમ અને લેડ ધાતુની પ્લેટમાંથી પસાર કરવામાં આવે છે) આ કિરણોને તેમાંથી પસાર કરવામાં આવે છે, જેને કારણે તેઓ જુદા જુદા આયનોમાં વિભાજીત થાય છે. આ પ્રક્રિયાને રેડિયેશન કહેવામાં આવે છે., રેડિયેશનના બે પ્રકાર છે. આયોનાઇઝિંગ, નોન–આયોનાઇઝિંગ, આયોનાઇઝિંગ એટલે કિરણસંપુટનું જુદા જુદા આયનોમાં વિભાજીત થઇ જવું જેને આપણે જોઇ શકતા નથી. યારે નોન–આયોનાઇઝિંગમાં કિરણસંપુટ વહેંચાતા નથી તેથી આપણે તેને જોઇ શકીએ છીએ. જેમ કે લાઇટ જોકે રેડિયેશન શબ્દ માત્ર આયોનાઇઝિંગ માટે જ વપરાય છે., બંને પ્રકારના રેડિયેશન સજીવો અને વાતાવરણ માટે નુકસાનદેહ સાબિત થઇ શકે છે. રિએકટર્સમાંથી થતું રેડિયેશન અતિ જોખમી હોય છે., વિલહેમ રોન્જન, મેરી કયુરી અને અર્નેસ્ટ રુથરફોર્ડે રેડિયેશનને લગતી વિવિધ શોધોમાં મહત્યનો ભાગ ભજવ્યો હતો., રેડિયેશનનો ઉપયોગ મેડીકલ ક્ષેત્રે, કમ્યૂનિકેશન ક્ષેત્રે, એનર્જી ઉત્પાદન માટે કરવામાં આવે છે
|