પ્રશ્ન : માનવજાતિના દરેક કોષમાં રંગસૂત્રોની સંખ્યા છેતાલીસ છે. એવી જ રીતે દરેક જાતિ માટે સંખ્યા નકકી જ છે. તો પછી વધુમાં વધુ અને ઓછામાં ઓછા રંગસૂત્રો કઇ કઇ જાતિઓ માટે નોંધાયેલા છે?
– શ્રી ભવાનભાઇ બી. અવેડિયા (ભાવનગર)
ઉત્તર : જેમ લાખો ઈંટો ગોઠવાઇને મકાન બને છે તેમ કરોડો કોષો ગોઠવાઇને સજીવનું શરીર બને છે. દરે કોષની અંદર જે પ્રવાહી જેવો રસ ભરેલો છે તેને જીવરસ કહે છે. આ જીવરસના પ્રવાહીમાં જે છૂટછવાયા તાંતણાઓ તરે છે તેને રંગસૂત્રો અથવા ગુણસૂત્રો કહે છે. આવા દરેક રંગસૂત્રના તાંતણાંની અંદર, સજીવના સંચિત કર્મેા (જીન) રહેલા હોય છે.
જીનના કુલ અગિયાર નામમાંથી છ નામ જીજડી સંકાલ એટલે કે (૧) જીન (૨) જનિન (૩) ડીએનએ (૪) સંચિત કર્મેા (૫) કારણો અને (૬) લક્ષણો અગાઉ આવી ગયેલ છે. બાકીના પાંચ નામ છ વિલમાંવા આ પ્રમાણે છે. (૭) છઠ્ઠીના લેખ (૮) વિધિના લેખ (૯) લલાટના લેખ (૧૦) માંડેલ અને (૧૧) વારસો. (૧૦) દરેક જાતિ માટે રંગસૂત્રોની સંખ્યા નિિત જ છે. તેનો આંકડો સામાન્ય રીતે, એકસો કરતા નાનો હોય છે તેમ છતાં અપવાદો પણ છે. દાખલા તરીકે હંસરાજ નામની વનસ્પતિ, સૌથી વધારે રંગસૂત્રો ધરાવે છે. તેનાં દરેક કોષમાં બારસો સાંઇઠ રંગસૂત્રો હોય છે. આનાથી વિરુધ્ધમાં સૌથી ઓછા રંગસૂત્રો, એક પ્રકારની કીડીના કોષોમાં હોય છે. માદા કીડીના દરેક કોષમાં માત્ર બે જ રંગસૂત્રો હોય છે યારે નર કીડીના કોષોમાં તો અર્ધા જ એટલે કે એક જ રંગસૂત્ર હોય છે.
(૧૧) સજીવની કોઇ એક જાતિના બધા સભ્યોમાં ગુણસૂત્રોની સંખ્યા, એક સરખી જ હોય છે. આમ છતાં એક જ જાતિની પેટા જાતિઓમાં રંગસૂત્રોની સંખ્યા જુદી જુદી હોઇ શકે છે. દાખલા તરીકે કૂતરાની એક પેટાજાતિના કોષોમાં ઇકોતેર રંગસૂત્રો હોય છે યારે કૂતરાની બીજી એક પેટાજાતિના કોષોમાં આડત્રીસ રંગસૂત્રો હોય છે.
(૧૨) આખી માનવજાતને પાંચ પ્રજાઓમાં વહેંચવામાં આવેલી છે: (૧) અમેરિકન ઇન્ડિયન પ્રજા (અમેરીકામાં) (૨) નિગ્રોઇડ પ્રજા (આફ્રિકામાં) (૩) ઓસ્ટ્રેલોઇડ પ્રજા (ઓસ્ટ્રેલિયામાં) મોંગો લોઇડ પ્રજા (ચીન, મલાયા, જાપાનમાં) અને (૫) કોકેસોઇડ પ્રજા (એશિયા, યુરોપ, અમેરિકામાં). પરંતુ આ તો શરીનાં બહારના લક્ષણોને ધ્યાનમાં રાખીને માનવજાતને પાંચ પ્રજાઓમાં વહેંચેલી છે. આ પાંચેય પ્રજાઓના દરેક સભ્યના કોષમાં છેતાલીસ રંગસૂત્રો જ હોય છે. એટલે કે દુનિયાના દરેક માણસના કોષમાં રંગસૂત્રો તો છેતાલીસ જ હોય છે. આમ વૈજ્ઞાનિક હિસાબે આખી માનવજાત એક જ જાતિ છે. તેને (૧) ગુજરાતી ભાષામાં માનવ કહે છે. (૨) અંગ્રેજી ભાષામાં હ્યુમન કહે છે. અને (૩) વૈજ્ઞાનિક ભાષા હોમો સેપિયન્સ કહે છે.
કવિએ પણ આખી માનવજાતને એક કુટુંબ તરીકે ગણીને, તેનાં કલ્યાણની ભાવના રજૂ કરેલી છે....
દોહરા
સુણીએ રૂડું કાનથી, રૂડું નીરખે નેણ
હાથે રૂડાં કામ હો, રૂડાં નીસરે વેણ
જગમાં સુખિયા સૌ હજો, સાજા રહે સદાય
ભલું હજો સૌ લોકનું, દુ:ખના રહે જરાય
– શ્રી નારાયણ કે. ભાલોડિયા (સાઇબ)
'વિજ્ઞાન ધર્મ આશ્રમ' મુ.મોમાઇમેડી, તા.જિ.જામનગર
પ્રશ્ન : સૂર્ય માળાના છેલ્લા ગ્રહ પુરેનસનો પરિચય આપશો?
– વીણા, પ્રજેશ, જગદીશ–અમદાવાદ
ઉત્તર : ૧૭૮૧માં વિલિયમ હર્ષલે શનિ પછીનો ગ્રહ શોધી કાઢયો, જેનું નામ યુરેનસ (પ્રજાપતિ) રાખવામાં આવ્યું. ૧૭૮૧ સુધી શનિ સૂર્યમાળાનો છેલ્લો ગ્રહ ગણાતો. કોઇ પણ ખગોળ વિજ્ઞાનીને એવો વિચાર પણ આવેલો નહીં કે શનિ પછી પણ ગ્રહો હોઇ શકે છે. હર્ષલે તે અકસ્માતે શોધી કાઢેલો. યુરેનસ પ્રથમ એવો ગ્રહ તો, જે માનવીએ તેના દૂરબીનની મદદથી શોધી કાઢયો હોય. શનિ સૂર્યથી દોઢ અબજ કિલોમીટર દૂર છે, યારે તેનાથી બમણા અંતરે આમ, યુરેનસની શોધથી ગયો.
યુરેનસની શોધ થયા પછી ખગોળવિજ્ઞાનીઓ કરતાં થઇ ગયા કે યુરેનસ પછી પણ ગ્રહ હોઇ શકે. યુરેનસ પછી પણ કોઇ ગ્રહ હોઇ શકે તે કહેવાનું કોઇ કારણ પણ હોવું જોઇએ. દુરબીનો કાર્યરત થયા અને તે જ રાતે ગાલને લેવેટિયર અને એડમ્સે દર્શાવેલી જગ્યાની તદ્દન નજીક નવો ગ્રહ શોધી કાઢયો. આ એક અદભૂત અને વિશિષ્ટ્ર શોધ હતી. અદભૂત એ માટે કે યુરેનસ પછી એક નવા ગ્રહની શોધ થઇ. વિશિષ્ટ્ર એક માટે કે આ ગ્રહ અકસ્માતે શોધાયો ન હતો, પણ થિયરી અને ગુરૂત્વાકર્ષણના નિયમોને આધારે તેના અસ્તિત્વની આગાહી કરવામાં આવી હતી અને તે જ પ્રમાણે અને તે જ જગ્યાએ તે શોધાયો હતો. તેનું નામ મહાસાગરના દેવતાના નામે વરુણ (નેપચ્યુન) રાખવામાં આવ્યું. ઋજ્ઞમ જ્ઞર ઘભયફક્ષત ફક્ષમ ફયિંતિ. ખગોળશાક્રીઓના સંગઠને એક નિયમ ઘડયો છે કે ગ્રહોનાં નામો માત્ર પૌરાણિક દેવતાઓના નામે જ રાખવાં.
જે દૂરબીન વડે નેપચ્યુન ગ્રહ શોધાયો હતો તે દૂરબીનને બલિન વેધશાળાએ પ્રદર્શનમાં રાખ્યું છે. નેપચ્યુન સૂર્યથી સાડા ચાર અબજ કિલોમીટર દૂર છે. તે પૃથ્વી કરતા વ્યાસમાં ચાર ગણો મોટો છે. અને કદમાં ૬૪ ગણો મોટો છે. તે ૬૪ પૃથ્વીને તેમાં સમાવી શકે છે. તે બ્લ્યુ રંગનો મનોહારી ગ્રહ છે, કારણ કે ત્યાં એમોનિયા, મિથેન, ઇથેન જેવા વાયુઓ ૨૨૦ અશં સેલ્સિયસ ઉષ્ણતમાને બરફ અને પાણી થઇ ગયા છે. ત્યાં હીરા મળી આવ્યા છે. નેપચ્યુન પર જબ્બર વીજળી થાય છે અને વાયુઓનાં તોફાનો અને વંટોળ સર્જાય છે. તેની સપાટી પર જબ્બર વાદળી રંગનું ધાબું છે. તે એટલું તો મોટું છે કે તેમાં ત્રણ–ચાર પૃથ્વી આખીને આખી સમાઇ જાય.
નેપચ્યુનને હવે સુંદર વલયમાળા છે, જાણે તેણે રંગબેરંગી મોતીઓની માળા પહેરી હોય તેને હાલમાં આઠ ગ્રહો છે. નેપચ્યનની વલયમાળા જે ૧૯૮૯માં વાયોજર–૨ અંતરીક્ષયાન ત્યાં ગયું ત્યારે શોધાયા. નેપચ્યુનનો મોટો ગ્રહ ટ્રાયટન ગ્રહની ફરતે ઊલટી દિશામાં ગતિ કરે છે તે ચંદ્રથી પણ મોટો છે. તેના પર કોઇક જાતનું જીવન હોવાની સંભાવના છે. તેની પર જવાળામુખી ભભૂકે છે, જે એમોનિયા, મિથેન, ઇથેન વાયુના ફંવારા છોડે છે. હાલમાં નેપચ્યુન સૂર્યમાળાનો છેલ્લો ગ્રહ ગણાય છે. પ્લુટો, સ્માઇલી, એરિસ, કવેવર, વરુણ જેવા નાના ગ્રહો નેપચ્યુનની પેલે પાર છે, પણ તેના નાના હોઇ તેમને ડવાર્ફ પ્લેનેટ કહેવામાં આવે છે. પ્લૂટોને પેલે પાર પણ બે ગ્રહો છે.
જે ૧૯૯૨, ૨૦૦૫માં શોધાયા. તેમના સરેરાશ અંતરો સાડા સાત અબજ અને ૧૫ અબજ કિલોમીટર છે.
નેપચ્યુન સૂર્યની ફરતે પરિક્રમા કરવા માટે ૧૬૫ વર્ષ લે છે. તે શોધયા પછી ૧૩ જુલાઇએ તેણે તેની સૂર્ય ફરતેની પ્રથમ પરિક્રમા પૂરી કરી છે અને તેણે તેની બીજી પરિક્રમા કરવાનું શરૂ કયુ છે. તે તેની બીજી પરિક્રમા, ૨૧૭૬માં પૂરી કરશે, જે બાવીસમી સદીનું છેલ્લુ ચરણ હશે. ત્યારે હાલમાં પૃથ્વી પર જીવતા બધા માણસો મૃત્યુ પામ્યા હશે
|