વાચક મિત્રો, તમે એવી કેટલીય વિચિત્ર કંકોત્રીઓ વાંચી હશે. તમારા અભ્યાસ કાળ દરમિયાન કેટલાય ઉત્સાહી વિધાર્થીઓએ સાચુ કલા શિક્ષકોની પ્રેરણાથી હસ્ત લિખિત અકં બહાર પાડયા હશે. એમાં વિચિત્ર કંકોતરીઓ હોય જ. શાક–ભાજીના વિવિધ નામો, વિવિધ રોગો અને દવાઓ, વ્યસનો સંબંધી શબ્દાવલિ, ભણાવાતા વિવિધ વિષયો સંબંધી, અનાજ અને વિવિધ ખાધ પદાર્થેા સંબંધી, વાસણો અને ઘરના રાચ રચિલા સંબંધી, ખેતી–વાડીનાં સાધનો સંબંધી આવી આવી તો અનેક વિષયો સંબંધી કંકોત્રીઓ રચી શકાય પણ આવી કુમકુમ પત્રિકાઓ માત્ર મનોરંજન પુરતી સારી લાગે.
હવે કેટલીક કંકોત્રીઓ વિવિધ ભાષા પ્રયોગો અને શબ્દ વૈવિધ્યથી મધમધતી હોય એ વાંચ્યા પછી મોટી ઉંમરનાઓને ય ઘડભર એમ થઇ આવે કે મારાં લની કંકોતરી આવી છપાઇ હોત તો? અને વળી એમાંની કેટલીક કંકોતરીઓને તો માનસથી વારંવાર ચગળવાનું મન થાય. એમાંની કેટલીક કુમકુમ પત્રિકાઓનો મેં સંગ્રહ કર્યેા છે. નવરાશની પળોમાં સુંદર શબ્દાવલિઓની રંગોળી સમાન આ લઘુ શબ્દ રચનાઓને વારંવાર વાંચવાનું મન થાય. એમાં અંકિત પાત્રોને મળવાનું મન થાય. આવી નમૂનેદાર કંકોત્રી પડયે મારી પાસેથી લઇ જઇને છાપે છેય ખરા એમના જ સંતાન માટે કંકોત્રી લેવા આવેલા એક પુખ્ત વાચક બોલી ઊઠેલાકે કાકા આવી કંકોતરી વાંચ્યા પછી પાછા પૈણવાનું મન થઇ આવે એવી મસ્તાની કંકોતરીઓનો ભાષા વૈભવ તમે ભેગો કર્યેા છે.
પણ આજે જે કંકોતરી મારા વાચકો સામે મુકું છું તે શુદ્ધ સંસ્કૃત ભાષામાં છે. ગુજરાતના જાણીતા કોલમીસ્ટ શ્રી પુષ્પકુમાર ભાઇએ કંકોત્રી છપાવાનો ક્રેઝ જાગ્યો છે. આપણી ભાવવાહી કંકોતરીઓ વાંચ્યા પછી એ કેવી ઉખી લાગે જાણે ગોળ ખાધા પછી કાકચિયો!
દર્શના ભિલાષિણા
આમ તો આપણા દેશની રાષ્ટ્ર્રભાષા હિન્દી છે પરંતુ કાઠિયાવાડની પેલી કહેવતને યાદ કરીએ 'બાર ગાઉ બોલી બદલાય' તોય એ વાત પણ ખરી જ કહેવાય, રાજકોટથી મુંબઇ, કલકતા, દિલ્હી કે મદ્રાસ જઇએ એટલે સ્ટેશન–સ્ટેશને સ્થળે સ્થળે વિવિધ પ્રકારની બોલીઓ સાંભળવા મળતી હોય છે. એટલે સુધી કે આપણી રાષ્ટ્ર્રભાષા હિન્દી, ગુજરાતીઓની ગુજરાતી અને આપણી કાઠિયાવાડી કચ્છી, સરોતરી, સુરતી, અમદાવાદી ભાષાનો લચકો પણ ફરી જતો હોય છે. રાજકોટની ગુજરાતી ભાષા, વડોદરા સુરત કે મુંબઇ અમદાવાદમાં બોલાતી ભાષામાં પણ હાથીઘોડા જેટલો ફેર જણાતો હોય છે. સ્થાનિક રીક્ષાવાળા અને સ્ટેશનના મજૂરો કે સ્ટેશન પાસેના દુકાનદારો ગ્રાહકની બોલાતી ભાષા અને તેના લઢણ–લચકો મુજબ ભાવતાલ નકકી કરતા હોય છે. આપણી બોલાવાની ભાષા ભલે અનેક પ્રકારના ઉચ્ચારણ ધરાવતી હોય પરંતુ આકાશવાણી અને દૂરદર્શનમાં બોલવામાં આવતી ભાષા સ્પષ્ટ્ર અને શુધ્ધ ઉચ્ચારણ અને વ્યાકરણયુકત જ હોય છે. સિવાય કે કેટલાંક પ્રાદેશિક નાટકો કે પ્રાસંગિક કાર્યક્રમોને બાદ કરતા.
આપણી રાષ્ટ્ર્રભાષા હિન્દીનો સમગ્ર ભારતમાં કેન્દ્ર શાસિત તેમજ રાય શાસિત શાળાઓ–કચેરીઓ–કોલેજો અને વાહન વ્યવહાર કેન્દ્રો પર વધુને વધુ ઉપયોગ કરવા ભારત સરકારના આદેશો થયેલ છે જ અલબત હવે તો સમગ્ર ભારતમાં અજાણ્યા લોકો પણ પ્રથમ દ્રષ્ટ્રિએ રાષ્ટ્ર્રભાષા વડે સંપર્ક સાધવાની શરૂઆત કરતા હોય છે. જે ગુજરાત રાયનો સરકારી વહીવટ ગુજરાતીમાં ચાલે છે. એમ ભારતનો દસ રાયોની વહીવટી રાજભાષા હિન્દી જ છે.
આ તો થઇ પ્રવર્તમાન કાળના ભાષાની વાત, પરંતુ પ્રાચીન કાળમાં એટલે કે રામાયણ–મહાભારતના યુગમાં ફકત સંસ્કૃત ભાષા જ બોલવામાં અને લખવામાં આવતી લોકો ત્યારે ફટાફટ સંસ્કૃત ભાષામાં વાતચીતોનો વ્યવહાર રાખતા તમામ પ્રકારનું ભાષાકીય કાર્ય સંસ્કૃત ભાષામાં જ થતું હતું. રાજા મહારાયોના નિવેદનો જાહેર નિમંત્રણો–ઢંઢેરાઓ વિગેરેનું સઘળું કામ સંસ્કૃત ભાષામાં જ થતું હતુ. પ્રભુ શ્રી રામચદ્રં અને રાજા હરિશચદ્રં વિગેરેની લની કંકોત્રીઓ કેવા પ્રકારની બહાર પડતી હશે. નમૂનો અત્રે પ્રસ્તુત છે. એક વાત જાણી લો, કે ભારતના કોઇ પણ રાયની રાજભાષા આજે સંસ્કૃત નથી પણ ભારતનું એક રાય એવું છે જેનો વહીવટ અંગ્રેજીમાં ચાલે છે. એ કયું રાય? તમે શોધી જાણો જોઉં.
રાજકોટના જાણીતા નાટયકલાકાર–સિને પત્રકાર શ્રી પુષ્પકુમાર પુરોહિતના ભુજ–કચ્છ ખાતે રહેતા તેમના બનેવી શ્રી જે.કે.મેધનાણી તરફથી શ્રી પુષ્પકુમાર પુરોહિતને મળેલ કંકોત્રી સંપુર્ણ સંસ્કૃત ભાષામાં મુદ્દિત કરવામાં આવેલ છે. સંસ્કૃત ભાષાના જાણકાર વાંચકોને આ પ્રકારની કંકોત્રી વાંચવામાં આનદં આવશે યારે બીજાઓને જરૂરથી કુતૂહલ જણાશે. એક વાત જણાવી દઉં કે જર્મનીનો સરકારી રેડિયો ડોઇટશવેલે દ વોઇસ ઓફ જર્મની આજેય રેડિયો દ્રારા સંસ્કૃત શીખવે છે. અને આપણે બહુ ભણેલા એમ કહીએ છીએ કે, સંસ્કૃત ઇઝ એ ડેડ લેંગવેઝ
|