જો તમે આ વર્ષે દેશના અગ્રણી જ્યોતિર્લિંગો અને પવિત્ર ચારધામની યાત્રા કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો રેલવે વિભાગ તમારા માટે એક સોનેરી તક લઈને આવ્યું છે. આઇઆરસીટીસી (IRCTC) દ્વારા આગામી 3 સપ્ટેમ્બરથી એક અત્યંત ખાસ 'ભારત ગૌરવ દેવ દર્શન યાત્રા' શરૂ થવા જઈ રહી છે. આ ભવ્ય આધ્યાત્મિક પ્રવાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ યાત્રામાં 3 મુખ્ય ધામ અને 11 પવિત્ર જ્યોતિર્લિંગોના દર્શન કરાવવામાં આવશે. અંદાજે 18 દિવસ અને 17 રાતોની આ લાંબી યાત્રા દરમિયાન પ્રવાસીઓ લક્ઝરી ડીલક્સ એસી ટ્રેન મારફતે દેશભરમાં આશરે 10,000 કિલોમીટરની મુસાફરી નક્કી કરશે.
આ ૧૪ પવિત્ર તીર્થસ્થળોની અદ્ભુત સફરઆ વિશેષ ટ્રેન પ્રવાસીઓને દેશના ખૂણે-ખૂણે આવેલા આસ્થાના કેન્દ્રો સુધી લઈ જશે, જેમાં નીચે મુજબના સ્થળોનો સમાવેશ થાય છે
ઉત્તર અને પૂર્વ ભારતના ધામ:- કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ (વારાણસી), વૈદ્યનાથ ધામ (દેવઘર) અને જગન્નાથ મંદિર (પુરી).
દક્ષિણ ભારતના પવિત્ર સ્થળો:- મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ (શ્રીશૈલમ), રામનાથસ્વામી જ્યોતિર્લિંગ (રામેશ્વરમ), વિભીષણ મંદિર અને ધનુષકોડી.
પશ્ચિમ ભારતના જ્યોતિર્લિંગ:- ભીમાશંકર, ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ (એલોરાની ગુફાઓ), ત્ર્યંબકેશ્વર (નાસિક), નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકા.
ગુજરાત અને મધ્ય પ્રદેશના તીર્થ:- સોમનાથ જ્યોતિર્લિંગ અને ભાલકા તીર્થ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ (ઉજ્જૈન) તેમજ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ.બેઠકોની મર્યાદિત સંખ્યા અને બોડિંગ સ્ટેશનોમુસાફરોની પ્રાઇવેસી અને આરામદાયક મુસાફરીને ધ્યાનમાં રાખીને આ લક્ઝરી ટ્રેનમાં માત્ર 150 શ્રદ્ધાળુઓ માટે જ વ્યવસ્થા કરવામાં આવી છે
બેઠકોનું વિભાજન:- સુપીરિયર એસી-1 (કૂપે) માં 30 બેઠકો, સુપીરિયર એસી-1 (કેબિન) માં 28 બેઠકો, ડીલક્સ એસી-2 ટાયરમાં 36 બેઠકો અને કમ્ફર્ટ એસી-3 ટાયરમાં 56 બેઠકો રાખવામાં આવી છે.
ટ્રેન પકડવાના મુખ્ય સ્ટેશનો:-શ્રદ્ધાળુઓ આ ટ્રેનમાં દિલ્હી સફદરજંગ ઉપરાંત ગાઝિયાબાદ, અલીગઢ, ટુંડલા, ઇટાવા, કાનપુર અને પ્રયાગરાજ સ્ટેશનોથી બેસી શકશે.
વાપસીના સ્ટેશનો:- યાત્રા પૂર્ણ કરીને પરત ફરતી વખતે મુસાફરો ભોપાલ, ઝાંસી, ગ્વાલિયર, આગ્રા અને મથુરા સ્ટેશનો પર ઉતરી શકશે.યાત્રાનું ભાડું અને પેકેજમાં મળતી મફત સુવિધાઓઆઇઆરસીટીસી દ્વારા મુસાફરોની સગવડ માટે તમામ સુવિધાઓ આ પેકેજ કિંમતમાં જ સામેલ કરી દેવામાં આવી છે:
યાત્રાની શ્રેણી સિંગલ શેરિંગ ડબલ શેરિંગ ટ્રિપલ શેરિંગ બાળકો
સુપીરિયર
(AC 1st Class) ₹2,21,955 ₹1,98,010 ₹1,94,590 ₹1,82,425
ડીલક્સ
(AC 2 Tier) ₹2,05,940 ₹1,81,995 ₹1,78,575 ₹1,66,410
કમ્ફર્ટ
(AC 3 Tier) ₹1,73,910 ₹1,49,965 ₹1,46,545 ₹1,34,380
પેકેજની મુખ્ય વિશેષતાઓ
આ કિંમતમાં પ્રવાસીઓને પુરી, રામેશ્વરમ, પુણે, નાસિક, દ્વારકા અને ઉજ્જૈન જેવા શહેરોમાં 6 રાત્રિઓ માટે 3-Star હોટલોમાં રોકાણ મળશે, જ્યારે વારાણસીમાં માત્ર ફ્રેશ થવાની સુવિધા અપાશે. બાકીની 11 રાતો ટ્રેનમાં વિતશે. આ ઉપરાંત રોજ સવારની ચા, નાસ્તો, બંને ટાઈમનું શુદ્ધ શાકાહારી ભોજન, સ્થાનિક ફરવા માટે એસી વાહનો, પ્રવાસીઓનું અકસ્માત વીમો અને સુરક્ષા ગાર્ડ્સની સેવા તદ્દન મફત આપવામાં આવશે.