જામનગર  :  વિજરખી ગામની યુવતી ભેદી રીતે ગુમ

  • May 04, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  વિજરખી ગામની યુવતી ભેદી રીતે ગુમ 

ધ્રોલ ખાતે સ્ટાફને લગ્નની કંકોત્રી આપવા જવાનું કહીને નિકળ્યા બાદ લાપત્તા : પરિવારમાં ચિંતા


જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહેતી યુવતી ગુમ થઈ જવાની ઘટના સામે આવી છે, જેના કારણે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે.


મળતી માહિતી મુજબ, ગુમ થયેલ યુવતી કૃપાલિબા ઈન્દ્રસિંહ જાડેજા ધ્રોલની એક ક્ધયા છાત્રાલયમાં ફરજ બજાવે છે. તેણીના લગ્ન પોતાના જ ગામના યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા, ગત તા. ૨૭મીના રોજ કૃપાલિબાએ પોતાના ઘરેથી ધ્રોલ પોતાની લગ્નની કંકોત્રી આપવા જવાનું છે તેમ કહીને નીકળી હતી, ત્યારબાદ તે પરત ફરી નથી. પરિવારજનોએ સગા-સંબંધીઓ સહિત તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કરી છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી.

​​​​​​​
યુવતીએ પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હોવાથી તેણીના લોકેશન અંગે કોઈ માહિતી મળી શકી નથી. હાલ પોલીસમાં જાહેર થયેલી વિગતોના આધારે પંચકોશી-એ દ્વારા ગુમથનાર યુવતિની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News