જામનગર : જોડિયાની નદીમાં ડૂબી જવાથી માલધારી પ્રૌઢનું મૃત્યુ

  • May 04, 2026 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : જોડિયાની નદીમાં ડૂબી જવાથી માલધારી પ્રૌઢનું મૃત્યુ

જોડિયા તાલુકાના માવના ગામની સીમ વિસ્તારમાં આવેલ ડેમી નદીમાં પ્રૌઢનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.


મળતી માહિતી મુજબ જુના માવનુ ગામના રહેવાસી અરજણભાઈ પુનાભાઈ લાંબરીયા (ઉંમર અંદાજે ૫૪ વર્ષ) તા. ૦૨ મેના રોજ સવારના સમયે ડેમી નદી ખાતે ન્હાવા માટે ગયેલ હતા. તે દરમિયાન અચાનક પાણીમાં ડૂબી જતા તેઓનું મૃત્યુ થયું હતું.


આ અંગે તેમના પુત્ર રાજેશભાઈ લાંબરીયા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધ દાખલ કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ બનાવને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News