BREAKING NEWS

કર્ણાટકમાં ગોઝારી દુર્ઘટના: નદીમાં છીપલા એકઠા કરતી એક જ પરિવારની 7 મહિલાઓ સહિત 8 લોકો ડૂબ્યા, તમામના મોત

  • May 24, 2026 07:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં છીપલા એકત્ર કરતી વખતે આઠ લોકો ડૂબી જતા તમામના મોત થયા છે. જ્યારે બે લોકો હજુ પણ ગુમ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કારવારમાં થટ્ટેહકાલુ નદીમાં આ અકસ્માત થયો હતો. એક જ પરિવારના સભ્યો છીપલા એકત્ર કરવા ગયા હતા. નદીમાં પાણીનું સ્તર વધ્યું અને જોરદાર પ્રવાહ તેમને તણાઈ ગયો.


આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા, જેમાં સાત મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બધા એક જ પરિવારના હતા. બે લોકો હજુ પણ ગુમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રૂ.2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.


કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રૂ.5 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. સિદ્ધારમૈયાએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ઉત્તર કન્નડ જિલ્લાના ભટકલ નજીક થટ્ટેકાલુ બીચ પર શેલ એકત્ર કરતી વખતે એક જ પરિવારના આઠ સભ્યો ડૂબી ગયા. હું પ્રાર્થના કરું છું કે મૃતકોના આત્માઓને શાંતિ મળે.


તેમણે કહ્યું કે માનવતાવાદી ધોરણે, રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને રૂ.5 લાખનું વળતર આપશે. તેમણે ઉમેર્યું કે ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ કામગીરી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application