પાકિસ્તાન પર એરસ્ટ્રાઈકને લઈ રાજકોટ એરપોર્ટથી 11 ફ્લાઈટ રદ, જાણો કઈ કઈ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી

  • May 07, 2025 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા મોડીરાત્રે પાકિસ્તાનના આતંકવાદીઓના અડ્ડા પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. એરસ્ટ્રાઈકને લઈને રજકોટની 11 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં રાજકોટથી મુંબઈ જતી 5, દિલ્હી અને પુણેની 2-2 અને હૈદરાબાદ અને બેંગ્લોરની 1-1 ફ્લાઈટનો સમાવેશ થાય છે.


રાજકોટથી જતી તમામ ફ્લાઈટ રદ

રાજકોટથી સવારે 8.40 વાગ્યે મુંબઈ માટે ઉપરથી એર ઇન્ડિયાની ફ્લાઈટ તેમજ 9 વાગ્યે મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ડિગોની 10.15 વાગ્યે ઉપાડતી પુણે, 12.25 વાગ્યાની મુંબઈ, 1.15 વાગ્યાની હૈદરાબાદ, બપોરે 2 વાગ્યાની પુણે, 3.55 વાગ્યાની બેંગલોર અને સાંજે 5.50 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. આ સાથે જ સાંજે 6.05 વાગ્યાની એર ઇન્ડિયાની મુંબઈ અને 6.20 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે. જ્યારે રાત્રે 8.30 વાગ્યાની એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઇટ કેન્સલ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application