અત્યાર સુધી દિલ્હી ગેસ ચેમ્બર બન્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, અને અહી એકયુઆઈ ૬૦૦ને પર પહોચી ગયો છે પરતું હવે માત્ર દિલ્હી જ નહી, લાહોર–મુલતાનમાં પણ પોલ્યુશન બોમ્બ ફટો છે અને એકયુઆઈ ૨૦૦૦ને પાર નોંધાતા તાબડતોબ શાળાઓ બધં કરી દેવામાં આવી છે અને ૩ દિવસનું લોકડાઉન લડી દેવામાં આવ્યું છે.પાકિસ્તાનની પંજાબ સરકારે લાહોર અને મુલતાનમાં આરોગ્ય કટોકટી લાદી છે અને શાળાઓ બધં કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય રેસ્ટોરાં, દુકાનો, બજારો અને શોપિંગ મોલ રાત્રે ૮ વાગ્યા સુધીમાં બધં થઈ જશે.
પાકિસ્તાનનો પંજાબ પ્રાંત આ દિવસોમાં વાયુ પ્રદૂષણથી પીડિત છે. સતત વધી રહેલા એર કવોલિટી ઇન્ડેકસને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે લાહોર અને મુલતાન જેવા ધુમ્મસથી પ્રભાવિત શહેરોમાં આરોગ્ય કટોકટી લાદી છે. પ્રદૂષણને પહોંચી વળવા અન્ય ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
પંજાબ સરકારમાં વરિ મંત્રી મરિયમ ઔરંગઝેબે લાહોરમાં આ સમસ્યા અંગે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે સ્મોગનો મુદ્દો સ્વાસ્થ્ય સંકટમાં ફેરવાઈ ગયો છે. આનો સામનો કરવા માટે ઘણા કડક પગલાં ભરવા જરી છે. તેમણે પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની સરકારની ૧૦ વર્ષની કલાઈમેટ ચેન્જ પોલિસીની પણ જાહેરાત કરી હતી. જેમાં પૂર, કુદરતી આફતો, પુનર્વસન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
ફેકટરીઓ માટે પણ નિયમો બદલાયા
સાવચેતીના પગલા તરીકે, પંજાબ સરકારે લાહોર અને મુલતાનમાં આરોગ્ય કટોકટી લાદી છે અને શાળાઓ બધં કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મુલતાન અને લાહોરમાં રેસ્ટોરાં, દુકાનો, બજારો અને શોપિંગ મોલને રાત્રે ૮ વાગ્યા સુધી બધં રાખવાની સૂચના આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર લાહોર અને મુલતાનમાં રેસ્ટોરાં હાલમાં માત્ર ૪ વાગ્યા સુધી જ સેવા આપશે. જો કે, ટેક અવે સેવા રાત્રે ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુછડી નજીક મીનીબસ હડફેટે ભાઇની નજર સામે બહેનનું નિપજ્યુ કણ મોત
May 09, 2025 02:45 PM‘સમજી જજો આતંકવાદીઓના આકાઓ, નહીં તો આ તમારી સગી નહી થાય’: પૂજ્ય ભાઇશ્રી
May 09, 2025 02:44 PMપૈસાના ચક્કરમાં ફસાયેલા મિત્રની મદદ કરનાર યુવક પોતે જ ફસાઈ જતા ઝેરી પ્રવાહી પીધું
May 09, 2025 02:43 PMઆઠ દિવસમાં રાજીવનગરના રસ્તા સમથળ નહી થાય તો મનપા સામે થશે આંદોલન
May 09, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech