ઉત્તર પ્રદેશના કન્નૌજ રેલ્વે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો છે. અહીં નિર્માણાધીન બે માળના સ્ટેશનનો લિન્ટર અચાનક તૂટી પડતા કાટમાળ નીચે 35 કામદારો દટાઈ ગયા છે. અત્યાર સુધીમાં 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ લોકોના મોત થયા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘાયલોને ઈ-રિક્ષા દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ઘટનાસ્થળે 1 JCB અને 3 ફાયર બ્રિગેડ વાહનો બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
અમૃત ભારત યોજના હેઠળ સ્ટેશન પર એક નવી બે માળની ઇમારત બનાવવામાં આવી રહી હતી. આજે સવારે લિન્ટર નાખવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક આખું લિન્ટર તૂટી પડ્યું હતું. યુપી સરકારના મંત્રી અસીમ અરુણ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ડીએમ સુભ્રાંત કુમાર શુક્લા અને એસપી બિનોદ કુમાર, સીઓ સિટી ઘટનાસ્થળે હાજર છે.
કન્નૌજમાં થયેલા અકસ્માતની નોંધ લેતા, સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓની માફી માંગતા યુઝર્સ ભડક્યા
May 11, 2025 04:18 PM'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ, વાયુસેનાએ ટ્વિટ કરી આપ્યું નિવેદન
May 11, 2025 12:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech