રાજકોટના લોધિકા તાલુકામાંથી 3 પાકિસ્તાનીને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. વર્ષો પહેલા પાકિસ્તાનથી રાજકોટ જિલ્લામાં આવ્યા બાદ પરત ફર્યા નથી. આશરે દોઢ-બે દાયકાથી રાજકોટ જિલ્લામાં રહેતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં રહેતાં એક સગીર સહિત ત્રણને LCBની ટીમ ઝડપી પાડ્યા છે.
પોલીસે પૂછપરછ શરૂ કરી
તેઓ પાકિસ્તાન પરત ન ફર્યા હોવાનું સામે આવતા પોલીસે તેઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે જે પૂર્ણ થયા બાદ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.
પોલીસને બાતમી મળી હતી
મળતી માહિતી મુજબ, ઘૂસણખોરી અંગે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવા અંગે આપેલ આદેશ બાદ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની પોલીસ તેમજ ગ્રામ્ય SOG અને LCBની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ઘૂસણખોરી અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય LCB પોલીસની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં પાકિસ્તાની નાગરિક ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યા છે જેના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી.
પોલીસની ટીમ લોધિકા પહોંચી તપાસ કરતા એક પરિવાર મળી આવ્યો હતો. જેમની પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિતના પુરાવાઓ નહોતા. ત્યારબાદ પૂછપરછ કરતા તેઓ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું અને તેઓ લગભગ દોઢ-બે દાયકા પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના સુદર્શને પાકિસ્તાની મિસાઈલને ધૂળ ચટાડી
May 08, 2025 04:15 PMભારતીય સેનાએ કરેલી એરસ્ટ્રાઇકના પગલે જિલ્લા પોલીસ સર્તક
May 08, 2025 04:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech