મોરબી તાલુકાના આમરણ ગામે પી.જી.વી.સી.એલ કચેરીનું વીજ બીલ ભરપાઈ ન કરતા ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાખતા જી.ઈ.બી ના કર્મચારીને ત્રણ શખ્સોએ માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના આમરણ ગામે રહેતા અને જી.ઈ.બી.મા નોકરી કરતા ધ્રુવરાજસિંહ ગોવિંદસિંહ ચૌહાણ (ઉ.વ.૨૫) એ આરોપી વીશાભાઈ સાર્દુલભાઈ દેવીપુજક, પરેશ વિશાભાઈ દેવીપુજક તથા કારાભાઈ વીશાભાઈ દેવીપૂજક રહે. બધા આમરણ ગામવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપીના વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજકનુ છેલ્લ ા ૬ માસનું ૨૭૯૦/૦૦-(સત્યાવીસો નેવુ રૂપીયા) આમરણ પી.જી.વી.સી.એલ.કચેરીનું વીજ બીલ બાકી હોય જેઓએ ભરપાઇના કરતા ફરીયાદી આરોપીની ઉપરોક્તનું ઇલેકટ્રીક કનેકશન કાપી નાંખતા જે આરોપીને નહીં ગમતા આરોપીઓએ ફરીયાદીના શર્ટનો કાઠલો પકડી ગાળો દઇ ઝપાઝપી કરી ગળાના આજુબાજુના ભાગે સામાન્ય ઇજા કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. જેથી ભોગ બનનાર ધ્રુવરાજસિંહએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪, ૩૩૨,૧૮૬ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech