ભૂચરમોરી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયો કાર્યક્રમ: કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિ
7 થી 15 ઓકટોબર દરમિયાન ચાલી રહેલા વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે પૈકી રાજ્યમાં 23 આઇકોનીક સ્થળની વિકાસ પદયાત્રા અને વિકાસ સપ્તાહને અનુપ કાર્યક્રમો યોજવા પસંદગી કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ભુચરમોરી ખાતે આવેલા શહિદવનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્યાં જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વિકાસ ભારત અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકારે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવા 23 સ્થળો નક્કી કયર્િ છે. આ એ પ્રતિષ્ઠિત સ્થળો છે, જે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેમના વિઝન અને નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તેમજ તેમણે લોન્ચ કરેલા કે ઉદ્ઘાટન કરેલા નોંધપાત્ર પ્રોજેક્ટ્સની ઝાંખી કરાવે છે.
પસંદ કરાયેલ આ 23 સ્થળોમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક ભૂચરમોરી યુદ્ધભૂમિ ખાતે નિમર્ણિ કરવામાં આવેલ શહીદ વનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભુચરમોરીમાં માતૃભૂમિની રક્ષા કાજે ખેલાયેલા યુદ્ધમાં જે યોદ્ધાઓ શહિદ થયા છે તેમની યાદમાં શહિદવનનું નિમર્ણિ કરવામાં આવ્યું છે. જે અત્યારે પ્રવાસનના સ્થળ તરીકે વિકસ્યું છે. જેના પરિણામે આજુબાજુના ધંધાર્થીઓની આર્થિક આવકમાં પણ વધારો થયો છે. વિકાસ સપ્તાહ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને રાષ્ટ્રનિમર્ણિ પ્રત્યેના તેમના સમર્પણની ઉજવણી છે, જેમાં વિકાસ પદયાત્રા તેમની 23 વર્ષની લોક સેવા દરમિયાન હાંસલ કરેલી સિદ્ધિઓને અંજલિ આપે છે.
શહિદવન ખાતે મંત્રીએ વિકાસ પદયાત્રાનું સમાપન કરાવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ તેમજ પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ જોડાયા હતા. કાર્યક્રમના અંતે સૌએ ભારત વિકાસ શપથ લીધા હતા ત્યારબાદ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ વન સંરક્ષક અરુણ કુમાર, પ્રાંત અધિકારી સ્વપ્નિલ, તાલુકા વિકાસ અધિકારી સોજીત્રા, શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech