પોરબંદરના સત્યનારાયણ મંદિર પાસે આવેલ શ્રી કંસાર રેસ્ટોરન્ટના રસોડામાં સવારે આગનો બનાવ બન્યો હતો. જોકે ત્યારે આ રેસ્ટોરન્ટ બંધ હતુ તેથી તાત્કાલિક તેના માલિકને બોલાવવાની સાથોસાથ ફાયરબ્રિગેડ, પોલીસ, પી.જી.વી.સી.એલ.ની ટીમ દોડી ગઇ હતી અને વધુ નુકશાની થતી અટકાવી શકાઇ હતી.
બનાવની વિગત એવી છેકે પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક ભાવેશ્ર્વર મંદિર પાછળ આવેલ શ્રી કંસાર રેસ્ટોરન્ટમાં અચાનક સવારના સમયે શોર્ટસર્કીટને કારણે રસોડામાં આગ લાગી હતી. ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા હતા પણ સવારે આગ લાગી ત્યારે રેસ્ટોરન્ટ બંધ હતુ તેથી લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પોરબંદર ફાયરબ્રિગેડની ટીમ ઉપરાંત પોલીસ અને પી.જી.વી.સી.એલ.ની ટીમ ત્યાં દોડી ગઇ હતી અને વીજપુરવઠો બંધ કર્યો હતો ત્યારબાદ તેના માલિકને પણ જાણ કરવામાં આવી હતી તે દરમિયાન ફાયર જવાનોએ પોલીસની હાજરીમાં જ શટર તોડવાની કાર્યવાહી કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં તેના સંચાલકો આવી જતા તેને ચાવીથી ખોલીને ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી શ કરવામાં આવી હતી. વધુ આગ ફેલાય નહી તે માટે તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનોએ કામગીરી કરી હતી. ફાયરબ્રિગેડના અધિકારી અભય મહેતાના જણાવ્યા અનુસાર શોર્ટસર્કિટને કારણે લાગેલી આગમાં તેમની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઇ હોવાથી અને સંચાલક પણ સમયસર આવી ગયા હોવાથી વધુ નુકશાની થઇ ન હતી. કીચનમાંથી રાંધણગેસના બાટલા કાઢવાની કામગીરી સમયસર હાથ ધરવામાં આવી હતી જેના કારણે વધુ નુકશાની થઇ નથી. વીજતંત્રએ પણ કામગીરીમાં પૂરતો સહકાર આપ્યો હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech