છત્તીસગઢ રાજ્ય વક્ફ બોર્ડે રાજ્યભરની તમામ મસ્જિદો માટે નવો આદેશ જારી કર્યો છે. જે મુજબ હવે મસ્જિદ સમિતિઓએ શુક્રવારની નમાજ દરમિયાન ચર્ચાના વિષયો માટે વક્ફ બોર્ડ પાસેથી પરવાનગી લેવી પડશે. વક્ફ બોર્ડની પરવાનગી બાદ જ મૌલાના ભાષણના વિષયો પર ચર્ચા કરી શકશે.
આ મામલે છત્તીસગઢ વક્ફ બોર્ડના અધ્યક્ષ ડૉ. સલીમ રાજનું કહેવું છે કે મુતવાલીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ મસ્જિદોને રાજકારણનો અખાડો ન બનાવે. મસ્જિદોમાંથી સતત નિવેદનો આપવામાં આવે છે, ફતવા બહાર પાડવામાં આવે છે, એવું ન થવું જોઈએ. તેથી નવો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ઓવૈસીએ ભાજપ પર પ્રહારો કર્યા
હવે AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેણે X પર પોસ્ટ કરીને લખ્યું કે છત્તીસગઢની ભાજપ સરકારનું વક્ફ બોર્ડ ઇચ્છે છે કે ખતીબ જુમ્મા ખુત્બા આપતા પહેલા વક્ફ બોર્ડ દ્વારા તેમના ખુત્બાની તપાસ કરાવે અને બોર્ડની પરવાનગી વિના ખુત્બા ન આપવો જોઈએ. હવે ભાજપના લોકો કહેશે કે ધર્મ શું છે? હવે મારે મારા ધર્મને અનુસરવા માટે તેમની પાસેથી પરવાનગી લેવી પડશે? વક્ફ બોર્ડ પાસે આવી કોઈ કાનૂની સત્તા નથી, જો તેની પાસે હોત તો પણ તે બંધારણની કલમ 25 વિરુદ્ધ હોત.
પરવાનગી વગર ભાષણ આપનાર સામે કાર્યવાહી કરવામાં આવશે
છત્તીસગઢ વક્ફ બોર્ડના અધ્યક્ષ ડૉ. સલીમ રાજ સ્પષ્ટપણે કહે છે કે આદેશ બાદ જો કોઈ મૌલાના કે મુતવલ્લી શુક્રવારની નમાજ પછી પરવાનગી વગર ભાષણ આપશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બોર્ડનું કહેવું છે કે મૌલવીઓના ભાષણો સામાજિક પ્રકૃતિના હોવા છતાં, કેટલાક વિષયો એવા છે જે ઉશ્કેરણીજનક છે અને લોકો પર નકારાત્મક અસર કરે છે. બોર્ડના આદેશથી ખળભળાટ મચી ગયો છે અને ઘણા મુસ્લિમ સંગઠનો આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૦૭ મે,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
May 06, 2025 05:50 PMઉનાળામાં આ રીતે સ્ટોર કરો મખાના, લાંબા સમય સુધી નહીં બગડે
May 06, 2025 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech