કોઠારીયા સોલ્વન્ટમાં હાઉસિંગ બોર્ડ કવાટર માં આધેડ ગળાફાંસો ખાય આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવવાની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
બનાવની મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ ના હાઉસિંગ બોર્ડ કવાટર માં રહેતા વિનોદભાઈ રમેશભાઈ નામદેવ (ઉ.વ. ૪૬) નામના આધેડએ આજે સવારે પોતાના મમાં લોખંડના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પાડોશી જોઈ જતા ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ની ટિમ બનાવના સ્થળે પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કરી આજીડેમ પોલીસને જાણ કરતા એ.એસ.આઈ. વી.બી. સુખાનંદી અને રાઇટર વિક્રમભાઈ બકુત્રા દોડી ગયા હતા અને મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી જરી કાર્યવાહી કરી હતી.
મૃતક કારખાનામાં મજૂરી કામ કરતા હતા સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોતાને દાની ટેવ હોવાથી એકલા રહી જીવન ગુજરાન ચલાવતા હતા એકલવાઈ જિંદગીથી કંટાળી પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આધેડના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રિકેટના કિંગ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી ‘વિરાટ’ સંન્યાસ
May 12, 2025 02:58 PMવેરો ભરો, કાર્યવાહીથી બચો : રાજકોટ મહાનગરપાલિકાની આખરી ચેતવણી
May 12, 2025 02:49 PMભારતે માલદીવને 50 મિલિયન ડોલરની નાણાકીય સહાય આપી
May 12, 2025 02:45 PMજુના યાર્ડ પાસે હિટ એન્ડ રન: માતાની અંતિમવિધિમાં જઇ રહેલા પુત્રનું મોતઃ ત્રણને ઇજા
May 12, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech