આગામી મહાવદ નોમના ૨૨ ફેબ્રુઆરીથી ભવનાથ તળેટીમાં લઘુ કુંભ મહાશિવરાત્રી મેળો યોજાનાર છે. મેળા સંદર્ભે જૂનાગઢ જ્ઞાતિ સમાજ ઉતારા મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં મહાશિવરાત્રી મેળાના પૂર્વ આયોજન માટે વહીવટી તત્રં વહેલામાં વહેલી તકે બેઠક બોલાવે તેવી માંગ કરવામાં આવી છે.
જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયાના જણાવ્યા મુજબ ૨૨થી ૨૬ ફેબ્રુઆરી લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા અંતર્ગત લાખો ભાવિકો મેળો કરવા આવે છે. ૨૨ ફેબ્રુઆરીએ ધજા રોહન થશે અને ૨૬ તારીખે મોરબી કુંડમાં સ્નાન સાથે મેળાની પૂર્ણાહત્પતિ થશે. શિવરાત્રી મેળાના પ્રારંભને દોઢ માસનો સમય બાકી હોય જેથી જ્ઞાતિ સમાજ ઉતારા મંડળ દ્રારા થતી તૈયારીઓ અંગે બેઠક યોજાઇ હતી. જેમાં નોમના દિવસે સવારે ૮વાગ્યે ઉતારા મંડળ દ્રારા પૌરાણિક સુદર્શન તળાવના જલથી સૂર્યને અંજલી અર્પણ કરી ભવનાથ મહાદેવને જલાભિષેક પૂજા બાદ ધ્વજા રોહણ કરાશે પરંપરાગત લઘુ કુંભ મહાશિવરાત્રી મેળો ત્યારબાદ પ્રારભં થશે શિવરાત્રીના દિવસે રાત્રે રવેડી યોજાશે. જેથી મેળામાં લોકો ભવનાથથી પાયતન રોડ, લાલ ઢોરી, ઇટવા ઘોડીથી ડરવાણ ચોકડી તરફ જઈ શકે તેની દરેકને જાણકારી આપવી તથા વહીવટી તત્રં મેળાની પૂર્વ તૈયારી માટે તાકીદે બેઠક બોલાવે, સુદર્શન તળાવની સફાઈ કરી જળને અનામત રાખે, આકસ્મિક ઘટનાઓમાં લોકોને ભવનાથમાંથી બહાર કાઢી શકાય તે માટે પાયતન રોડથી કેવલ બાગ લાલઢોરીથી ઈટવા ઘોડી ડેરવણ ચોકડી તરફ રસ્તો ખુલ્લ ો કરવામાં આવે તેવી માંગ સાથે બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં લમણભાઈ પિઠીયા, કાળાભાઈ સીંઘલ, ગોવિંદ વેગડ, મગનભાઈ સાવલિયા, હરેશભાઈ ઠુંમર, લાલજીભાઈ અમરેલી અને હરેશભાઈ ઘોડાસરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech