ભારતીય કોસ્ટગાર્ડમાં ડાયરેકટર જનરલ તરીકે ફરજ બજાવતા રાકેશ પાલનું અચાનક જ હૃદયરોગના હુમલાથી નિધન થતા સમગ્ર પોરબંદરમાં ગહેરો શોક જોવા મળ્યો હતો. ત્યારે તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું બીરલા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિશાળ સંખ્યામાં અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જરના બનેવી રાકેશ પાલ કે જેઓ ભારતીય કોસ્ટગાર્ડમાં ડી.જી. તરીકે ફરજ બજાવતા હતા અને ચેન્નઇ ખાતે તેમનું હૃદયરોગના હુમલાથી અચાનક જ નિધન થયુ હતું. તેમના અવસાનના આ સામાચારથી સમગ્ર પોરબંદર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. કેતનભાઇ ગજ્જર સહિત તેમના પરિવારજનોને સાંત્વના આપવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા. પોરબંદરના બીરલાહોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન થતા કોસ્ટગાર્ડના ઉચ્ચઅધિકારીઓથી માંડીને શહેરની જુદી જુદી સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ સહિત કેતનભાઇ ગજ્જરનું બહોળુ મિત્રવર્તુળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રાકેશ પાલના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech