શહેરના સિન્હાકોલોની નજીક ભાવનગર-બાંદ્રા રેલગાડી હેઠળ યુવાને ઝંપલાવતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા બોરતળાવ પોલીસે દોડી જઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હાથ ધરેલી ઓળખવિધિમાં મૃતક યુવાન બોટાદ જિલ્લાના મંડવધાર ગામનો રહેવાસી હોવાનું અને સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરતો હોવાનું ખુલ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સિન્હાકોલોની વિસ્તારમાં ભાવનગર-બાંદ્રા રેલગાડી પસાર થઇ રહી હતી ત્યારે એક અજાણ્યા યુવાને ગાડી નીચે ઝંપલાવી દેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા બોરતળાવ પોલીસ મથકના એએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ સહિતનો કાફલો દોડી ગયો હતો. અને આપઘાત વ્હોરી લેનાર યુવાનના મૃતદેહનો કબ્જો લઇ તેને પોસ્ટ મોર્ટમ માટે સરટી હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતક બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મળવધાર ગામે રહેતા યોગેશભાઈ ભરતભાઈ વેગડ(ઉ. વ. ૩૦)નો હોવાનું ખુલ્યું હતું. આ અંગે મૃતક યોગેશભાઈના સગા હિંમતભાઈ નરશીભાઈ ગઢીયાએ આપેલા નિવેદનના આધારે એએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતક યોગેશભાઈ અપરણિત હોવાનું તેમજ ઘણા સમયથી તે સ્વામિનારાયણ મંદિરમાં સેવા કાર્ય કરતા હોવાનું ઉપરાંત મૃતક છેલ્લા છ માસથી પોતાના ઘરેથી નીકળી જઈ થોડો સમય સુરતમાં રહેતા હોવાનું તપાસનિશ એએસઆઈ મહેન્દ્રસિંહે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાકિસ્તાન વચ્ચે તળાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
May 09, 2025 05:30 PMભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech