રાજય સરકારના કાયદા વિભાગનો મહત્વનો નિર્ણય
ગત તા.૧૩/૦૩/૨૦૨૪ ના સાંજના સમયે જામનગર વાછાણી મીલ બેડીના ઢાળીયા પાસે ’’એડવોકેટ હારૂન પલેજા ’’નાઓનુ આરોપીઓ(૧) રજાક ઉર્ફે સોપારી (ર) બશીરભાઇ સાયચા (૩) સિંકદરભાઇ ઉર્ફે સિકલો સાયચા (૪) દિલાવર કકલ (૫) સુલેમાન કકલ (૬) રમજાનભાઇ સાયચા (૭) ઇમરાન સાયચા (૮) એજાઝ સાયચા (૯) ગુલામ સાયચા (૧૦) મહેબુબ સાયચા (૧૧) ઉમર ચમડીયા (૧૨) શબીર ચમડીયા (૧૩) અસગર સાયચા વિગેરે દ્રારા કાવતરૂ રચી ત્રિક્ષણ હથિયાર વડે ખૂન કરવામા આવેલ.
સરકારના કાયદા વિભાગમાં આ કેસમા સિનીયર એડવોકેટ, બાહોશ, પ્રમાણિક, કાયદાના તલસ્પર્શી, અભ્યાસુ, સરકાર પક્ષે કેસ ચલાવનાર અભ્યાસુ એડવોકેટને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂંક કરવા માટે વકિલ મંડળ તથા આમ પ્રજા તરફથી રજુઆત થયેલી,જેના અનુસંધાને તાજેતરમાં રાજયના કાયદા વિભાગે રાજકોટના પુર્વ જીલ્લા સરકારી વકિલ અને પબ્લીક પ્રોસીકયુટર, રાજકોટ બાર એસોશીએશનના પુર્વ પ્રમુખ, રાજકોટના નામાંકિત સીનીયર એડવોકેટ શ્રી અનીલભાઇ દેસાઇની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂક કરેલ છે.
જાણીતા સીનીયર એડવોકેટ શ્રી.અનીલભાઇ દેસાઇ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ના સંખ્યાબંધ ચકચારી કેસોમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમની ફરજ બજાવેલ છે અને ચકચારી કેસોમા ખૂંખાર –કુખ્યાત ગુન્હાગારોને સજાઓ કરાવેલ છે.શ્રી અનીલભાઇ દેસાઇ હાલમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સૌરાષ્ટ્રvકચ્છ ના મહત્વના જીલ્લાના જામનગર,મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી,કચ્છ-ભુજ સહિતાના જીલ્લાઓમા સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સંખ્યાબંધ કેસોમા નિમણૂંક થયેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે,ગુજરાત રાજય સરકાર દ્રારા અગાઉ સંખ્યાબંધ ચકચારી કેસો મા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે શ્રી અનીલભાઇ દેસાઇ ની નિમણૂંક કરવામા આવેલી છે તેઓ કાયદાની આંટીધુંટી આગવી કુનેહ સુલટાવતા સદરહુ ખૂન કેસમા સૌરાષ્ટ્ર ના જાણીતા ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી અનીલભાઇ દેસાઇની નિમણૂંક થયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech