ગાંધીના ગુજરાતમાં વ્યાપાર ધંધાને પ્રોત્સાહન આપવા માટે ઈને પાછલા બારણે દાબંધીની છૂટછાટ આપવામાં આવી રહી છે જેનું જીવંત ઉદાહરણ ગિફ્ટ સિટી છે આજ તર્જ પર હવે ડાયમંડ સિટી સુરતમાં બનેલા ડાયમંડ બુર્જ ખાતે દાબંધીમાં છૂટછાટ આપવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા શ કરવામાં આવી છે આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશેગિફ્ટ સિટી, ગાંધીનગરની તર્જ પર, રાજ્ય સરકારે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટીમાં દાના કાયદાને હળવા કરવાની કવાયત શ કરી છે, જેમાં ૩૫.૫૪ એકર જમીનમાં ફેલાયેલ સુરત ડાયમંડ બુરઝ છે.
લગભગ ૪,૫૦૦ ઓફિસો ધરાવતા એસડીબીમાં ગિફ્ટ સિટીમાં દાના કાયદામા જે રીતે છૂટછાટ આપવામા આવી છે તેવી જ રીતે સરકાર ડ્રીમ સિટીની મર્યાદામાં દાના કાયદાને હળવા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપે તેવી શક્યતા છે. જો આ દરખાસ્તને મંજૂરી મળે તો ગૃહ અને અન્ય સંબંધિત વિભાગો દારૂના વપરાશ અને વેચાણને નિયંત્રિત કરતી માર્ગદર્શિકા તૈયાર કરશે જેની સત્તાવાર જાહેરાત બે મહિનામાં ાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.ડ્રીમ સિટીને ૨,૦૦૦-એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહી છે જેી હીરા અને વેપાર સંબંધિત અન્ય વેપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુસર આ છુટ આપવાની સહિતની માંગ કરી છે.
જે તે સમયે આ સિવાયના તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગના મુદ્દા ઉઠાવવામાં મોખરે રહેલા હીરાના ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, અહીં વ્યાપારને આકર્ષવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું હશે. ડ્રીમ સિટીમાં પ્રતિબંધ હળવો કરવાી આંતરરાષ્ટ્રીય બિઝનેસ વાતાવરણ ઊભું શે. એક સમર્પિત હોસ્પિટાલિટી ઝોન હોવો જોઈએ.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ અને રોકાણકારો જેવા લક્ષિત લાર્ભાીઓ માટે અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે તો જ છૂટછાટ પ્રતિબંધ ફળદાયી સાબિત ઈ શકે છે.તેવી લાગણી વ્યક્ત કરવામા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech