સાડા ત્રણ વર્ષના લાંબા સમયના વિરહ બાદ ગગનમાંથી પોરબંદરની ધરતી ઉપર આમ મુસાફરો માટેનું સ્પાઇસ જેટનું પ્રથમ વિમાન ઉતરતા મુસાફરોને આવકારવા માટે નેતાઓ દોડી ગયા હતા.
પોરબંદરના અદ્યતન અને કરોડોના ખર્ચે બનેલા એરપોર્ટ ઉપર વર્ષોથી નિયમિત ફલાઇટ ઉડતી હતી પરંતુ છેલ્લા સાડા ત્રણ વર્ષથી વિમાની સેવા બંધ થઇ ગઇ હતી. જેને પુન: શ કરવા પૂર્વ સાંસદ રમેશ ધડુકથી માંડીને હાલના સાંસદ ડો. મનસુખ માંડવીયા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાથી માંડીને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ વારંવાર કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી.અંતે પોરબંદરવાસીઓની આતુરતાનો અંત આવ્યો હોય તેમ આ વિમાની સેવા પુન: શ થઇ છે ત્યારે મુંબઇ-પોરબંદર-મુંબઇ સ્પાઇસ જેટની પ્રથમ ફલાઇટ એરપોર્ટ ખાતે આવી પહોંચતા ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા સહિતના નેતાઓ દોડી ગયા હતા. મુસાફરોનું એરપોર્ટ તંત્ર દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ લલાટે તિલક કરીને તથા પુષ્પગુચ્છ તથા ગિફટ આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પ્રથમ ફલાઇટમાં મુંબઇથી ૩૭ જેટલા મુસાફરો પોરબંદર આવ્યા હતા અને પોરબંદરથી રવાના થયેલી ફલાઇટમાં ૧૭ મુસાફરોએ હવાઇ સફર કરી હતી. એપ્રિલથી અઠવાડિયામાં બે વખત મંગળવારે તથા ગુરુવારે આ ફલાઇટ ઉડાન ભરશે તેમ જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech