એર ઈન્ડિયા એક્સપ્રેસે ક્રૂ મેમ્બર્સ સાથે એક સમાધાન કર્યું છે. એરલાઈન્સ 25 ક્રૂ મેમ્બરને મોકલેલા ટર્મિનેશન લેટર પાછા ખેંચવા માટે સંમત થયા છે. આ સાથે એરલાઇનના ક્રૂ મેમ્બરોએ પણ તેમની હડતાળ પાછી ખેંચી છે. એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરોએ પગાર, ભથ્થા અને કામકાજની સ્થિતિને લગતી તેમની માંગણીઓને લઈને હડતાળ શરૂ કરી હતી.
મુખ્ય શ્રમ કમિશનર (CLC) ના કાર્યાલય ખાતે ક્રૂ સભ્યો અને મેનેજમેન્ટ સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એર ઈન્ડિયા એક્સપ્રેસના ચીફ ઓફિસર અને અન્ય ચાર લોકો અને 20 થી વધુ વરિષ્ઠ ક્રૂ સભ્યો હાજર હતા.
ક્રૂ મેમ્બરનું ટર્મિનેશન કેન્સલ
એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ક્રૂની બેઠક બાદ ભારતીય મજદૂર સંઘના સેક્રેટરી ગિરીશ ચંદ્ર આર્યએ જણાવ્યું હતું કે, "ચીફ લેબર કમિશનરે અમને એર ઈન્ડિયા એક્સપ્રેસ સંકટમાં સમાધાનની કાર્યવાહી માટે બોલાવ્યા હતા. ક્રૂ મેમ્બરોની તમામ સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. બરતરફ કરાયેલા 25 ક્રૂ સભ્યોને તાત્કાલિક અસરથી ટર્મીનેશન લેટરને રદ્દ કરવામાં આવ્યા છે, અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા કરવા માટે 28 મેના રોજ બીજી બેઠક યોજાશે.
એરલાઇનની 85 ફ્લાઇટ્સ કરવામાં આવી હતી રદ્દ
ક્રૂ મેમ્બરે અચાનક બીમાર હોવાનો દાવો કર્યો જેના કારણે લગભગ 85 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી. એર ઈન્ડિયા એક્સપ્રેસે બુધવારે (8 મે) ના રોજ અસુવિધા માટે માફી માંગી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ મામલે એર ઈન્ડિયા એક્સપ્રેસ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા જણાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech