આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહા થઈ બે વર્ષની, દાદી નીતુ કપૂરે પાઠવી શુભેચ્છા
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહાનો આજે બીજો જન્મદિવસ છે. આ અવસર પર રણબીર કપૂરની માતા નીતુ કપૂરે પોતાની પૌત્રી પર પ્રેમ વક્ત કર્યો છે. તેણે રાહાની એક સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં આલિયા અને રણબીર કપૂર તેમની પુત્રી સાથે જોવા મળે છે. રાહાની ક્યૂટનેસ તસવીરમાં જોઈ શકાય છે.
નીતુ કપૂરે રાહાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેણે તેની સાથે લખ્યું, હમારે પ્યાર કા આજ બર્થ ડે હૈ, ગોડ બ્લેસ્. નીતુ કપૂરે કેપ્શનમાં ગિફ્ટ, હાર્ટ ઇમોજી પણ સામેલ કરી છે. નીતુ કપૂરે શેર કરેલી તસવીરમાં રાહા માતા આલિયા અને પિતા રણબીર સાથે કારમાં બેઠેલી જોવા મળી રહી છે. રણબીર કપૂર તેની લાડકી દીકરીને ખૂબ જ પ્રેમથી કિસ કરતો જોવા મળે છે.
રાહાએ મમ્મી-પપ્પા સાથે કરી હતી પૂજા
આલિયા ભટ્ટે દિવાળીની ઉજવણીની કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી હતી. આમાંની એક તસવીરમાં આલિયા ભટ્ટ પણ પુત્રી રાહા અને પતિ રણબીર સાથે જોવા મળી હતી. રાહા આરતીની થાળી લઈને ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાહાની પૂજા કરતી આ તસવીર વાયરલ થઈ હતી. ખાસ વાત એ હતી કે ત્રણેએ એક જ કલરના ડ્રેસ પહેર્યા હતા.
રાહાની પહેલી તસવીર ક્યારે સામે આવી?
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલ 2022ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તેણે મુંબઈમાં તેના ઘરે સાત ફેરા લીધા. તે જ વર્ષે 6 નવેમ્બરે રણબીર અને આલિયાના ઘરે રાહાના જન્મ થયો. બંનેએ પોતાની દીકરીનું નામ રાહા રાખ્યું છે. જોકે, લાંબા સમય સુધી રણબીર અને આલિયાએ પોતાની દીકરીનો ચહેરો બતાવવાનું ટાળ્યું હતું.
જો કે ગયા વર્ષે ક્રિસમસના અવસર પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે દુનિયાને પહેલીવાર તેમની દીકરી રાહા કપૂરની ઝલક બતાવી હતી. ક્રિસમસની સાંજે રણબીર તેની પુત્રીને ખોળામાં લઈને પાપારાઝીની સામે આવ્યો હતો. આ પ્રસંગે આલિયા પણ તેની સાથે હતી. ત્યારથી રાહાની તસવીરો સતત આવતી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech