ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં વધી રહેલા તણાવ વચ્ચે પ્રથમ વખત અમેરિકાએ પણ કેનેડાને ટેકો આપીને ભારતના વોરોધમાં ઉભા રહેવાનું પસદં કયુ હતું. છે. અમેરિકાએ ગઈકાલે કેનેડા દ્રારા ભારત પર લગાવેલા હત્યાના કાવતરાના આરોપોને ગંભીરતાથી લેવા આહ્વાહન કયુ હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવકતા મેથ્યુ મિલરે મીડિયાને જણાવ્યું હતું કે યાં સુધી કેનેડિયન કેસનો સંબધં છે, અમે સ્પષ્ટ્ર કયુ છે કે આરોપો અત્યતં ગંભીર છે અને તેને ગંભીરતાથી લેવાની જર છે અને અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર કેનેડાની સાથે મળીને તેની તપાસમાં સહકાર આપે. આ મામલે ભારતની કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે સ્પષ્ટ્રપણે, તેઓએ આવું કયુ નથી. તેમણે વૈકલ્પિક રસ્તો પસદં કર્યેા છે.
ભારત અને કેનેડા વચ્ચે સોમવારથી તણાવ વધી ગયો છે. બંને દેશોએ સોમવારે એકબીજાના રાજદૂતોને હાંકી કાઢા હતા. શીખ અલગતાવાદીઓ સામેના અભિયાનમાં ભારત સામેલ હોવાના ઓટાવાના આરોપ બાદ તેની શઆત થઈ હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ અંગે કહ્યું હતું કે ભારતે આમાં ભૂલ કરી છે. એટલું જ નહીં કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે ગયા વર્ષે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિરની હત્યામાં ભારત સરકાર સામેલ હતી.
થોડા મહિના પહેલા અમેરિકાએ પણ ભારત દ્રારા તેની ધરતી પર આવી જ ગતિવિધિઓની ફરિયાદ કરી હતી. ત્યારે અમેરિકાએ તેના પર ખાલિસ્તાની સમર્થકની હત્યાનું કાવતં ઘડવાનો આરોપ લગાવ્યો હતો. જોકે અમેરિકાએ આ મામલાને ખૂબ જ સારી રીતે સંભાળ્યો છે અને શાંતિથી રાહ જોઈ છે. અમેરિકાના આરોપો પર જવાબ આપવા માટે રચાયેલી ભારતીય તપાસ સમિતિ આ કેસની ચર્ચા કરવા ગઈકાલે વોશિંગ્ટન પહોંચી હતી.
ભારતે આ મામલે અમેરિકાને જાણ કરી છે કે તે ભૂતપૂર્વ સરકારી કર્મચારીના અન્ય સંબંધોની તપાસ કરવાના પ્રયાસો કરી રહ્યું છે અને જરિયાત મુજબ જરી પગલાં પણ લેવામાં આવશે. યુએસ નેશનલ સિકયોરિટી કાઉન્સિલના પ્રવકતા જોન કિર્બીએ ભારત વિશે કહ્યું કે મને લાગે છે કે તેઓએ અહીં તપાસ સમિતિ મોકલી છે તે દર્શાવે છે કે તેઓ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech