દાહોદ મનરેગા કૌભાંડની તપાસ માટે સરકાર સીટ રચો, ભાજપના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો, વાડ જ ચીભડાં ગળે છે: અમિત ચાવડા

  • May 17, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દાહોદ મનરેગા કૌભાંડ મુદ્દે ઘણીવાર રજૂઆત કરી હતી કે દાહોદ મનરેગા ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. કોઈ કામ થતા નથી પણ બરોબર બિલો ચૂકવાય છે. આ મામલે સરકાર પ્રામાણિક અધિકારીઓની સીટની રચના કરે અને તપાસ થાય તેવી માગણી કોંગ્રેસના અમિત ચાવડાએ કરી છે.‌ કોંગ્રેસે વિધાનસભામાં પણ રજુઆત કરી હતી અને હવે સરકાર જાગી છે. પણ આ તપાસમાં એક બે જણને પકડી ભીનું ના સંકેલાય તેવી સરકાર પાસે માંગણી છે.


સરકારે પોતાની પ્રામાણિકતા સાબિત કરવી પડશે

મનરેગા યોજના ગરીબ લોકોને 100 દિવસ રોજગારી મળે તે માટે આ લાવવામાં આવી છે. સરકારે પ્રામાણિક અધિકારીઓની  સીટની રચના કરવી જોઈએ. જો તટસ્થ તપાસ થાય તો મોટા માથા પકડશે અને 100 કરોડ નહિ પણ 200 કરોડનું કૌભાડ બહાર આવી શકે છે. ઓપરેશન ગંગાજળની વાત કરે છે પણ તેની શરૂઆત તેમના મંત્રી મંડળમાંથી કરવી જોઇએ. જો મંત્રીના પુત્રની સંડોવણી છે તો તટસ્થ તપાસ કેવી રીતે થશે? સરકારે પોતાની પ્રામાણિકતા સાબિત કરવી પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application