ગણેશ ચર્તુથી અને ગણેશ વિર્સજનનાં તહેવાર દરમિયાન સાવચેતી રાખવા જામનગર PGVCL, વીજ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની જામનગર કચેરી દ્વારા જાહેર જનતા તથા તમામ યુવક મંડળો, સામાજીક, સ્વૈચ્છીક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, વિવિધ મહિલા અને બાળ ગૃપો તેમજ ગણેશ ઉત્સવની તૈયારી કરતાં તમામ લાગતા-વળગતા લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે.
તેમની યાદીમાં જણાવ્યાં પ્રમાણે, જામનગર વર્તુળ કચેરી હેઠળ શહેર વિસ્તારોમાં હળવા તથા ભારે દબાણની વીજ લાઇન પસાર થતી હોય નીચે જણાવ્યા મુજબ ની કાળજી રાખવી.
ગણેશ મૂર્તિનાં આવકાર વિસર્જન દરમ્યાન વીજ લાઇનની નીચેથી ખુબજ વધુ ઉંચાઇવાળી મૂર્તિ લઇ જવી નહીં, તેમજ વીજ લાઇનની નીચેથી પસાર થતી વખતે કોઇપણ વસ્તુ વડે વીજ લાઇનને ઉંચી કરવાનો પ્રયત્ન કરવો નહીં, ગણેશ મૂર્તિનાં આગમન પહેલા, આયોજકો-મંડળોએ રસ્તાઓનો સર્વે કરી જરૂર જણાય તો સંબંધીત પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી રસ્તામાં આવતી વીજ લાઇનની ઉંચાઇની ખરાઇ કરીને તેને અનુરૂપ ગણેશજીની મૂર્તિ લઇ જવી.
પ્રાણઘાતક–હળવા કે ભારે દબાણની વીજ લાઇનનાં ઇન્ડક્ષન ઝોનમાં આવવાથી કે વીજ લાઇનને અડકવાથી બીનપ્રાણઘાતક અકસ્માત થવાની સંભાવના છે. જેથી ગણેશજીની મૂર્તિ વીજ લાઇનથી સલામત અંતરે રાખી જે તે લાઇન નીચેથી પસાર કરવી અનિર્વાય છે, ગણેશ મૂર્તિનાં પંડાલ-મંડપ ઇલેકટ્રીકલ નેટવર્ક (૧૧ કેવી વીજ લાઇન), વીજ ટ્રાન્સફર્મર વગેરેથી સલામત અંતરે રાખવા જરૂરી છે. અન્યથા વીજ અકસ્માતની સંભાવના રહેલી છે. ભારે મોટા વાહનો જેવા કે બસ, ટ્રક, હાઇડ્રોલીક ડમ્પર તથા ઉંચાઇવાળા ભારે વાહનોને વીજ લાઇનની નીચે નજીક ઉભા રાખવા નહીં.
જીંદગી અમુલ્ય છે. તેને જોખમમાં ન મુકીઓએ અને આવો આપણે સૌ જામનગર વાસીઓ આ તહેવારને સલામતી પૂર્વક આનંદ ઉલ્લાસથી ઉજવીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech