આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના સામે આવી છે. પથ્થરો તૂટતા 5 શ્રમિકો દબાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન પથ્થરો તૂટ્યા હોવાની ઘટના બની છે. પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન આ મોટી દુર્ઘટના બની છે.
JCB વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ
જો કે રાહતની વાત એ પણ છે કે પિલ્લર નીચે દબાયેલા 2 શ્રમિકોને તો બહાર કાઢી લેવામાં આવ્યા છે અને આ બંને શ્રમિકોને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અન્ય શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે કે હાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન આ ઘટના બની છે. ત્યારે રેલવે પ્રોજેકટના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે અને હાલમાં JCB વડે પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં
તમને જણાવી દઈએ કે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે દ્વારા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. સુરત અને આણંદ શહેર નજીક ટ્રેકનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી 200 મીટર લાંબી પેનલો બનાવવા માટે પુલ ઉપર પાટાના ફ્લેશ-બટ વેલ્ડીંગની પ્રક્રિયા થોડા દિવસ પહેલા જ શરૂ કરવામાં આવી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની શિંકનસેન ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે અને તેના પર આધારિત જે-સ્લેબ ટ્રેક સિસ્ટમ હશે. આ સિસ્ટમનો ઉપયોગ ભારતમાં પ્રથમ વખત કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech