બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ તેની શાનદાર એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફ માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. અર્જુનના પહેલા લગ્ન મોડલ મેહર જેસિયા સાથે થયા હતા. પરંતુ લગ્નના 20 વર્ષ બાદ આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો હતો. મેહર અને અર્જુનને બે દીકરીઓ છે. હવે અર્જુન મોડલ ગેબ્રિએલાને ડેટ કરી રહ્યો છે અને તેની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહ્યો છે. અર્જુન અને મેહરના છૂટાછેડાને ઘણા વર્ષો થઈ ગયા છે, હવે ઘણા વર્ષો પછી છૂટાછેડાને લઈને અર્જુનનું દર્દ ઓસર્યું છે.
અર્જુન રામપાલ ધ રણવીર શોમાં ગયો હતો. જ્યાં તેણે પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી. અર્જુને કહ્યું કે તેના લગ્ન બહુ વહેલા થઈ ગયા જે નહોતા કરવા જોઇતા.
અર્જુનની છલકાતી પીડા
રણવીર સાથે વાત કરતી વખતે અર્જુને કહ્યું- તમે સંબંધ તૂટવા માટે કોઈને દોષી ન માનો. જે ભૂલો થઈ છે તેના વિશે વિચારવું જરૂરી છે. જ્યારે તમે બધું બંધ કરીને તમારા વિશે વિચારો છો, ત્યારે તમને તમારામાં ઘણી ખામીઓ દેખાશે. તમારી સાથે અન્ય વ્યક્તિની ખામીઓ વિશે પણ તમને ખબર પડશે. પરંતુ સંબંધ માટે તમારે જ બધું ઠીક કરવું પડશે.
વહેલા લગ્ન કર્યા
અર્જુન અને મેહરે વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. વહેલા લગ્ન કરવા પર અર્જુને કહ્યું- 20-30ની ઉંમર લગ્ન માટે ઘણી નાની છે. મારા લગ્ન 24 વર્ષની ઉંમરે થયા હતા, જે ખૂબ જ વહેલું હતું. પુરૂષો સ્ત્રીઓ કરતાં ધીમે ધીમે પરિપક્વ થાય છે અને તે સાબિત થયું છે કે આપણે પુરુષો મૂર્ખ છીએ.
તે પોતાના લગ્ન તૂટવા માટે માને છે પોતાને જવાબદાર
અર્જુન તેના લગ્ન તૂટવા માટે પોતાને જવાબદાર માને છે. તેણે કહ્યું- મેહરથી છૂટાછેડા લેવાનું ખૂબ જ મુશ્કેલ હતું કારણકે તેની સૌથી વધુ અસર બાળકોને થાય છે. મેહર અને અર્જુન ને બે દીકરીઓ છે. જેની સાથે તે ઘણીવાર સમય વિતાવતો જોવા મળે છે. તે સોશિયલ મીડિયા પર તેમની સાથેના ફોટા પણ શેર કરતો રહે છે.
અર્જુન તેના કરતા 14 વર્ષ નાની મોડલ ગેબ્રિએલાને ડેટ કરી રહ્યો છે. આ કપલને બે બાળકો પણ છે. અર્જુન અને ગેબ્રિયલાએ હજી લગ્ન કર્યા નથી. બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech