"ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખા ખાતે રેડ ક્રોસ રથનું આગમન"

  • May 09, 2025 10:55 AM 

વિશ્વ શાંતિ અને માનવતાવાદી સેવાના ઉદેશથી શરૂ થયેલી રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક હેનરી ડયુનાન્ટના જન્મદિવસ તારીખ 8 મી મેના વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવાય છે. તે જ દિવસે વિશ્વ થેલેસેમીયા દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે.


જેની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડ ક્રોસ પ્રવૃત્તિઓને ઉજાગર કરતો “રેડ ક્રોસ રથ" જામનગર પહોચ્યો ત્યારે ઈન્ડિયન રેડક્રોસ જામનગર શાખાના ચેરમેન ડો અવિનાશભાઈ ભટ્ટ,  વાઈસ ચેરપર્શન દિપાબેન સોની, ખજાનચી કીરીટભાઈ શાહ,  સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબાર તથા રેડક્રોસના સભ્યો દ્રારા કુમકુમ તિલક અને અક્ષત અને પુષ્પથી સ્વાગત  કરવામાં આવ્યું, રથનું સ્વાગત કુંવારીકા મુસ્કાન,  તુલસી, ઘિયા દ્રારા કરવામાં આવ્યું,  અને રથ લઈને આવેલ પ્રકાશભાઈ પરમાર, જીગરભાઈ ચૌહાણ, ભાવિનભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું. 


        આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, વિશ્વ શાંતિ અને માનવતાવાદી સેવાના ઉદેશથી શરૂ થયેલી રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક હેનરી ડયુનાન્ટના જન્મદિવસ તારીખ ૮ મી મે ના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવાય છે. સાથોસાથ તે જ દિવસે વિશ્વ થેલેસેમીયા દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય દ્રારા ચેરમેન શ્રી  અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ,  ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા તા.૦૧ લી મે થી ૦૮ મી મે સુધી રેડ ક્રોસ પ્રવૃત્તિઓને ઉજાગર કરતો રેડ ક્રોસ રથ સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યો છે.


જે દરેક શહેરમાં ફરીને રેડ ક્રોસની માનવતાવાદી સેવાઓ વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવશે, સાથેસાથે લોકોને સ્વાસ્થ્ય સંબંધી માહિતી આપશે. વધુમા વઘુ લોકો રેડ ક્રોસ સાથે જોડાય અને તેની જુદીજુદી સેવાઓનો લાભ લઈ શકે તે આ રથ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે .
​​​​​​​

      આ તકે રેડ ક્રોસ જામનગર શાખાની કમીટીના સભ્યો કેશુભાઈ ધેટીયા, એ.કે.અમૃતિયાભાઈ,  રાજુભાઇ ભાનુશાળી, જોગિનભાઈ જોષી, ભાર્ગવ ઠાકર,  નિકુલદાન ગઢવી, રેખાબેન જોષી ઉપરાંત વિપુલ મહેતા, વિઠ્ઠલભાઈ ધોળકિઆ,  દેવેન્દ્રભાઈ,  બિરેનભાઈ સુમડ, સુરેશભાઈ ભીંડી, અવનીબેન ત્રિવેદી,  નૃપાબેન મકવાણા,  અલકાબેન મહેતા,  હિનાબેન જોષી,  ઉષાબેન ગાંધી,  કાજલબેન ગનીયાણી,  દર્શાબેન જોષી, હિનાબેન શાહ, જયશ્રીબેન જોષી, ભૂમિબેન મહેતા, હિનાબેન શાહ,  બીનાબેન,  પુષપાબેન આહીર, મનીષાબેન ચૌહાણ,  વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દર્શાબેન જોષીએ કર્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application