જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ ફરી વધી ગયો છે. ત્યારે બ્રિટનના રસ્તાઓ પર પણ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવનું દ્રશ્ય જોવા મળ્યું હતું. એવું કહેવાય છે કે, ભારતીય મૂળના લોકોએ ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા બ્રિટિશ પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. અહીં, 'પાકિસ્તાન ઝિંદાબાદ' ના નારાઓનો સામનો કરવા માટે, ભારતીય મૂળના સેંકડો લોકો 'વંદે માતરમ' ના નારા લગાવતા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ નારાથી પાકિસ્તાનીઓના પાકિસ્તાન ઝીંદાબાદના નારા દબાઈ ગયા હતા.
પાકિસ્તાનના સમર્થનમાં લગભગ 50 લોકો એકઠા થયા હતા
મળતી માહિતી મુજબ, ગઈકાલે બ્રિટિશ પાકિસ્તાનીઓ વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન, પાકિસ્તાનના સમર્થનમાં લગભગ 50 લોકો હાઇ કમિશનની બહાર એકઠા થયા હતા. આ પછી જ, સેંકડો પીઆઈઓ એટલે કે ભારતીય મૂળના લોકો ત્યાં પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. ભારતીય મૂળના લોકોએ લાઉડસ્પીકર દ્વારા 'જય શ્રી રામ', 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યા હતા.
આ એક દુર્ઘટના છે
ઘટનાસ્થળે હાજર પાકિસ્તાની પ્રદર્શનકારી મોહસીને વાત કરતા કહ્યું, 'આ એક દુર્ઘટના છે.' તેમણે દાવો કર્યો હતો કે બિહારની ચૂંટણીને કારણે તણાવ હતો. તેમણે કહ્યું, 'બિહાર ચૂંટણીને કારણે મોદીને આની જરૂર છે.' તે કોઈ પણ તપાસ વિના પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યા છે. ઝુબૈર નામના એક પ્રદર્શનકારીએ કહ્યું, 'તેઓ અમારા પાણીને રોકી શકતા નથી. કારણ કે તેમની પાસે ડેમ નથી. તેઓ પાણી રોકી શકતા નથી.
પીડિત હોવાનો ડોળ કરી રહ્યા છે
ભારતીય ધીરજ નામના વ્યક્તિએ પાકિસ્તાની પ્રદર્શન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, 'તેઓ ભારતીય હાઈ કમિશનની બહાર કેમ વિરોધ કરી રહ્યા છે?' ગૌરવ નામના એક ભારતીય સમર્થકે કહ્યું, 'તેઓ બેશરમ લોકોની જેમ વર્તી રહ્યા છે અને પીડિત હોવાનો ડોળ કરી રહ્યા છે.' ઇન્દ્રનીલ નામના એક યુવકે કહ્યું, 'જીડીપી ઘણો વધ્યો છે. પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરનો વિકાસ થતો જોવા માંગતું નથી. આતંકવાદીઓએ બાળકોની સામે લોકોને મારી નાખ્યા તે એક હત્યાકાંડ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech