અમિતાભ બચ્ચન 41 દિવસ સુધી પરિવારથી રહ્યા હતા દૂર
અમિતાભ બચ્ચન કેટલા ધાર્મિક છે તે કોઈનાથી છુપાય એવું નથી. તાજેતરમાં જ અભિનેતાએ પોતાના ઘર જલસામાં બનેલા રામ દરબારની ઝલક પણ બતાવી હતી અને એવા ન્યૂઝ આવી રહ્યા છે કે તેણે એક વખત સંન્યાસ પણ લીધેલો છે.અમિતાભે જણાવ્યું હતું કે, તેમણે 41 દિવસ સુધી ત્રિદંડી સંન્યાસ લીધો હતો. આ અંતર્ગત મેં ઘણા કડક નિયમોનું પાલન કર્યું હતું.
બિગ બીએ કહ્યું- સબરીમાલા કેરળમાં એક જગ્યા છે, ત્યાં સ્વામી અયપ્પા છે. તેથી તેમના માટે તેમણે 41 દિવસના ઉપવાસ કરવાના હોય છે.આ વ્રત દરમિયાન ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા. વ્યક્તિએ દારૂ અને માંસાહારી ખોરાકનો ત્યાગ કરવાનો હોય છે. ત્યાં તમે પારિવારિક જીવન જીવી શકતા નથી. જમીન પર સૂવું પડે છે, ખુલ્લા પગે ચાલવું પડે છે, ચંપલ પહેરી શકતા નથી. પછી સબરીમાલાની તીર્થયાત્રા પર જવાનું હોય છે.આ વ્રત દરમિયાન ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા.
પ્રાર્થના કરવા માટે પહાડની ટોચ પર આવેલા સબરીમાલા સુધીના ખડકાળ માર્ગ પર ચાલીસ માઈલ ઉઘાડા પગે ચાલવું પડે છે. આ સાથે અમિતાભે કહ્યું કે, તેમણે આ માત્ર શ્રદ્ધાથી કર્યું છે અને કોઈ પણ ઈચ્છા પુરી કરવા માટે વ્રત નથી કર્યું.અમિતાભ ઘણીવાર મંદિર અથવા કોઈ દેવી સ્થાનની મુલાકાત લેતા જોવા મળે છે. તાજેતરમાં તેઓ શ્રી રામના દર્શન કરવા માટે બીજી વખત અયોધ્યા પણ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો
May 08, 2025 10:49 AMવિરાણી ચોક પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર પર ચડી, જુઓ Video...
May 08, 2025 10:48 AMપાકિસ્તાનના સુરક્ષા સલાહકારે ડોભાલને ફોન કર્યો હોવાનો તુર્કી મીડિયાનો દાવો
May 08, 2025 10:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech