વધુ એક વખત ભારત અને પાકિસ્તાનના સંબંધો સુધારવામાં ક્રિકેટ ભાગ ભજવે તેવી સંભાવના ઉભી થઇ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડાર સાથે વાતચીત કરી હતી. સૂત્રોનું કહેવું છે કે બંને દેશોના મંત્રીઓ વચ્ચેની બેઠક દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ ફરી શરૂ કરવા પર ચચર્િ થઈ હતી. જયશંકર અને ડાર વચ્ચે 5 થી 7 મિનિટ સુધી ટૂંકી વાતચીત થઈ હતી.
એવું જાણવા મળ્યું છે કે જયશંકર અને ડાર વચ્ચેની વાતચીતમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી સામેલ હતા. તે દરમિયાન દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવા અંગે બંને દેશોના નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. નકવીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે બંને દેશોમાંથી કોઈએ દ્વિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ મૂક્યો ન હોવા છતાં, જયશંકરની મુલાકાત સંબંધો સુધારવાની હતી. પાકિસ્તાન આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવા માંગે છે. પાકિસ્તાન ઈચ્છે છે કે ભારત તેમાં ભાગ લે.
બંને દેશોએ મંત્રણા ફરી શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ હોવાનો ઈન્કાર કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન આવતા મહિને અઝરબૈજાનમાં સીઓપી 29માં સામસામે આવે તેવી અપેક્ષા છે. કોઈપણ નક્કર વાટાઘાટો માટે ભારત ઈચ્છે છે કે પાકિસ્તાન પહેલા હાઈ કમિશનરની નિમણૂક કરે.
અન્ય એક પાકિસ્તાની મંત્રી અહેસાન ઈકબાલે મંગળવારે ભારતીય પત્રકારોને કહ્યું હતું કે, પાકિસ્તાન ઈચ્છે છે કે બંને દેશો 1999ની લાહોર ઘોષણા પર પાછા ફરે, જેમાં બંને પક્ષોને એકબીજાના આંતરિક મામલામાં દખલ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech