કુવૈત અધિકારીઓએ બિલ્ડિંગમાં આગ લાગવાથી મૃત્યુ પામેલા 45 ભારતીયો અને ત્રણ ફિલિપિનોના મૃતદેહોની ઓળખ કરી છે. કુવૈતે આ ઘટનાની ત્વરિત તપાસ અને મૃતકોના મૃતદેહ મોકલવામાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.
કુવૈત અધિકારીઓએ બિલ્ડિંગમાં આગ લાગવાથી મૃત્યુ પામેલા 45 ભારતીયો અને ત્રણ ફિલિપિંનોના મૃતદેહોની ઓળખ કરી છે. કેન્દ્રીય મંત્રી ઘાયલોને મળ્યા હતા. દક્ષિણના શહેર મંગફમાં બુધવારે છ માળની ઇમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 49 વિદેશી કામદારોના મોત થયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા.
દક્ષિણના શહેર મંગફમાં બુધવારે છ માળની ઇમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 49 વિદેશી કામદારોના મોત થયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા. આ બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય કામદારો રહેતા હતા.
અંગ્રેજી અખબાર 'અરબ ટાઈમ્સ'ના સમાચાર અનુસાર, કુવૈતના પ્રથમ નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે જણાવ્યું કે અધિકારીઓએ 48 મૃતદેહોની ઓળખ કરી છે. જેમાંથી 45 ભારતીયો અને ત્રણ ફિલિપિનો નાગરિકો છે. બાકીના મૃતદેહની ઓળખ કરવાના પ્રયાસો હજુ ચાલુ છે.
ભારતીય વાયુસેનાનું વિમાન મૃતદેહોને પરત લાવવા માટે તૈયાર
ભારતીયોના મૃતદેહને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાનું એક વિમાન તૈયાર રાખવામાં આવ્યું છે. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, કુવૈતમાં આગની ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીય મૂળના લોકોના મૃતદેહોને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાનું C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કુવૈત માટે રવાના થયું છે. આવતીકાલે પરત ફરવાની ઉમ્મીદ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech