ભાવનગર જિલ્લાના મેસણકા ગામે આવેલ ટાટા કંપનીના ૧૨૦ મેગાવોટ સોલાર પ્લાન્ટના બ્લોક નંબર ૧૨/બી માં ગત તા.૦૧/૦૨/૨૦૨૪ ના રાત્રીના દસ વાગ્યાથી તા.૦૨/૦૨/૨૦૨૪ ના સવારના છ વાગ્યા સુધીના સમય દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્વારા સોલાર પેનલના કુલ ૨૧ ટેબલના ૬ એમએમના કેબલ જેની કુલ કિંમત રૂા.૪૪, ૦૦૦ નો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યો હોવા અંગે ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ગારિયાધાર પોલીસ મથક ખાતે ટાટા પાવર કંપનીમાં સિક્યુરિટી મેનેજર તરીકે ફરજ બજાવતા શક્તિસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.૩૦, રહે.રૂપાવટી, તા.ગારીયાધાર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ટાટા પાવર કંપનીમાં સીક્યુરીટી મેનેજર તરીકે નોકરી કરે છે. અને તેઓના કંપનીમાં સીક્યુરીટીના પોઇન્ટ મેસણકા ગામે ૧૨૦ મેગાવોટ સોલાર પ્લાન્ટ પર ચાલુ છે. જે પ્લાન્ટમાંથી ગત તા.૦૨/૦૨/૨૦૨૪ ના આશરે સવારના સાડા આઠેક વાગ્યે સીક્યુરીટી કંપનીના ઓફીસ એડમીન જીજ્ઞેશભાઈ શામજીભાઈ ગોયાણીએ જણાવેલ કે મેસણકા ગામે ૧૨૦ મેગાવોટ સોલાર પ્લાન્ટના બ્લોક નંબર ૧૨/બી માં ગત તા.૦૧/૦૨/૨૦૨૪ થી તા.૦૨/૦૨/૨૦૨૪ ના સમય દરમ્યાન સોલાર પેનલના કેબલની ચોરી થયેલ હોય તેવી જાણ કરી હતી. તે સમયે સુપર વાઇઝર જીજ્ઞેશભાઇ તેમજ ટાટા પાવર કંપનીમાં પેટા કોન્ટ્રાકટર તરીકે કામ કરતા મીતાશ કંપનીના ટેકનીશીયન વિપુલભાઇ કાથડ તથા મયુરભાઈ સરવૈયા હાજર હતા. ત્યાર બાદ સોલાર પેનલના પોઇન્ટો ચેક કરતા બ્લોક નંબર ૧૨/બીમાં લગાવેલ સોલાર પેનલના કુલ ૨૧ ટેબલના ૬ એમએમ કેબલ જેની આશરે લંબાઇ ૮૮૦ મીટર કિંમત ૪૪,૦ ૦૦ ની ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું. જેની માટે સ્ટાફના માણસો દ્વારા શોધખોળ કરતા આવેલ ન હોય જેથી મેસણકા ગામે આવેલ ટાટા કંપનીના ૧૨૦ મેગાવોટ સોલાર પ્લાન્ટના બ્લોક નંબ ૨ ૧૨/બી માં ગત તા.૦૧/૦૨/૨૦૨૪ ના રાત્રીના દસ વાગ્યાથી તા.૦૨/૦૨/૨૦૨૪ ના સવારના છ વાગ્યા સુધીના સમય દરમ્યાન કોઇ અજાણ્યા ચોર શખ્સ દ્વારા સોલાર પેનલના કુલ ૨૧ ટેબલના ૬ એમએમના કેબલ જેની કુલ કિંમત રૂા.૪૪,૦૦૦ ની સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરી નાસી ગયેલ હોય જે અંગે સિક્યુરિટી મેનેજર દ્વારા ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech