ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીની દરેક મેચ જીતવામા સફળ રહી છે. ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ, ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. હવે ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ સામે રમાઇ રહી છે.
ફાઇનલ પહેલા સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે કેપ્ટન રોહિત શર્મા નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. તે જ સમયે, કેટલાક ચાહકો માને છે કે રોહિતે 2027નો ODI વર્લ્ડ કપ રમવો જોઈએ. ત્યારે રોહિત શર્માના પહેલાંના એક કોચે જણાવ્યું છે કે રોહિત આગામી વર્લ્ડ કપ રમશે કે નહીં.
રોહિતે વચન આપ્યું છે
ભારતીય કેપ્ટન રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડે કહ્યું છે કે ભારત ચોક્કસપણે ટ્રોફી જીતશે કારણ કે રોહિત શર્માએ મને ટ્રોફી જીતવાનું વચન આપ્યું છે. ક્રિકેટ એક ટીમ ગેમ છે અને આખી ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. હું ઈચ્છું છું કે રોહિત શર્મા 2027નો ODI વર્લ્ડ કપ રમે અને પછી નિવૃત્તિ લે.
રોહિત આજે ટ્રોફી ઉપાડશે
દિનેશ લાડે કહ્યું, "જેમ રોહિતે મને T20 વર્લ્ડ કપ 2024 વિશે વચન આપ્યું હતું, તેમ તેણે મને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું પણ વચન આપ્યું છે. આ જ કારણ છે કે આપણે ફાઇનલમાં પહોંચ્યા છીએ. આજે ફાઇનલ છે, રોહિત ટ્રોફી ઉપાડશે અને દેશના લોકોને ખુશ કરશે. ક્રિકેટ એક ટીમ ગેમ છે. દરેક વ્યક્તિ સારું પ્રદર્શન કરી રહ્યું છે. આપણા બધા બેટ્સમેન સારા ફોર્મમાં છે. બોલરો પણ સારી બોલિંગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આપણે અત્યાર સુધી સારું પ્રદર્શન કરી રહ્યા છીએ."
તેમણે કહ્યું કે દુબઈ જતા પહેલા, રોહિતે પહેલેથી જ કહ્યું હતું કે આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીશું. તેણે પહેલી જ મેચમાં કહ્યું હતું કે આપણે ફાઇનલમાં પહોંચી રહ્યા છીએ. બધાને કેમ લાગે છે કે રોહિત શર્માએ નિવૃત્તિ લેવી જોઈએ? તમને લાગે છે કે રોહિત અનફિટ છે, તમને લાગે છે કે રોહિત સારી બેટિંગ નથી કરી રહ્યો, તે સારી રીતે કેપ્ટનશીપ કરી રહ્યો નથી. હું ઈચ્છું છું કે રોહિત 2027નો વર્લ્ડ કપ રમે અને તે પછી જ નિવૃત્તિ લે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech