પોરબંદરમાં વિવિધ પ્રકારની સેવાપ્રવૃત્તિ કરતી સંસ્થાઓ દ્વારા મનોદિવ્યાંગોને કપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય તથા રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા દ્વારા પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના માર્ગદર્શન હેઠળ પોરબંદર શહેરના અલગ-અલગ વિસ્તારમાં જઈને પરમહંસ જયાં સુતા હોય,બેઠા હોય ત્યાં સંસ્થાના સેવાભાવી પહોંચ્યા હતા અને પરમહંસો ના બાલ,દાઢી સાથે સ્નાન કરાવીને નવાં કપડાં પેન્ટ,શર્ટ, ટી શર્ટ પહેરાવ્યા હતા. ત્યારબાદ પરમહંસો ને ભોજન કરાવી,સાથે સાથે દક્ષિણા આપી ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ સેવાકીય કામગીરીને શહેરના લોકોએ બિરદાવી હતી.આ સેવાકીય કાર્ય સંસ્થાના સભ્ય માજી વણોટ હરજીવનભાઈ કોટીયા ની દેખરેખ સાથે અન્ય સભ્યો પ્રેમજીભાઈ ઘંટીવાળા,હસુભાઈ ચા વાળા,નારણભાઈ ચાંચીયા,હરિભાઈ રિક્ષાવાળા અને ધીભાઈ હિંગરાજીયા સેવામાં હાજર રહેલ.આ આયોજન દાતા સંસ્થાના પ્રમુક પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવાના સૌજન્ય થી કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech