રાજકોટમાં રહી કોલેજમાંનો અભ્યાસ કરતી યુવતી વેકેશનમાં વતન જસદણના કાળાસર ગામે ગઈ હતી ત્યારે વાડીમાં આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મળતી વિગત મુજબ મૂળ જસદણના કાળાસર ગામની અને રાજકોટમાં રૂમમાં રાખી કોલેજનો અભ્યાસ કરતી પ્રિયા ભરતભાઈ સાકરીયા (ઉ.વ.19)ની યુવતીએ ગઈકાલે વાડીએ આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા અને કુવામાંથી બેભાન હાલતમાં બહાર કાઢી 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા જસદણ પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. તેણીના પિતા ખેતીકામ કરે છે. પુત્રીએ ક્યાં કારણોસર પગલું ભર્યું પરિવાર પણ જાણતો ન હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરત તખ્તાની સાથે છૂટાછેડા પછી પણ એશાનો સિંગલ મોમ માનવાનો ઈનકાર
May 08, 2025 11:27 AMપાકિસ્તાનને તરસ્યું મરવાની નોબત આવી: જળાશયોમાં ફક્ત ૩૫ દિવસનું જ પાણી રહ્યું
May 08, 2025 11:25 AMખર્ચ કરવા માટે ઓછા પૈસા હોવાથી, ભારતના લોકોએ રોજિંદી જરૂરિયાતો ઓછી કરી : રિપોર્ટ
May 08, 2025 11:23 AMબ્લેકઆઉટ દરમિયાન જામનગર જિલ્લાના નાગરિકોએ દાખવ્યું સ્વયંભૂ શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
May 08, 2025 11:23 AMનીટ કૌભાંડ: રોયલ એકડમીના પેથાણીએ ચાર વાલીઓ પાસેથી પૈસા લીધાનું ખુલ્યું
May 08, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech