રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ જોશી ની સંયુક્ત યાદી જણાવે છે કે સાથી પક્ષ ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ની વોર્ડ નંબર 2,3,4,5 અને 6 માં સ્કૂટર પેલી યોજવામાં આવી હતી જેમાં વોર્ડના હોસ્પિટલ ચોક ચૌધરી હાઇસ્કુલ મારુતિ નગર રેસકોર્સ પાર્ક હનુમાન મઢી અલકાપુરી ભુવનેશ્વર સોસાયટી રેલવે ફાટક રેલનગર બજરંગવાડી હંસરાજ નગર સિંધી કોલોની ઝુલેલાલ નગર પારેવડી ચોક ભગવતી પરા સોહમનગર સેટેલાઈટ ચોક જુનો મોરબી રોડ 50 ફૂટ મામા રોડ મારુતિ નગર મેઇન રોડ સહિતના વિસ્તારોમાં ફરી મળી હતી. નગર, દૂધસાગર રોડ, ગંજીવાડા ચોક લાખાજી રાજ શ્રમજીવી સોસાયટી, મનહરપરા, દૂધસાગર રોડ સહિતના વિસ્તારોમાં સ્કૂટર રેલી પ્રચાર અભિયાન પત્રિકા સાથે ફરી વળી હતી
લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડેલો હતો જેમાં ભાંગી ગયેલા ધંધા અને મોંઘવારીથી ત્રસ્ત ગૃહિણીઓએ આ વખતે રાજકોટમાં ભાજપ્ને ભગાડવાનો દ્રઢ નિર્ધાર કરી લીધો હોય તેમ લોકો સ્કૂટર રેલીમાં જોડાયા હતા.રાત્રે 7:30 કલાકે કોઠારીયા રોડ પરના વોર્ડ નંબર 16 માં ક્રિષ્ના ચોક ખાતે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જાહેર સભામાં ભાજપ્ના 42 કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. તમામને ઉમેદવાર પરેશભાઈ ધાનાણી દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાયર્િ હતા. સભામાં મોંઘવારી, ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના વક્તાઓએ ધારદાર પ્રવચનો કયર્િ હતા. આ કાર્યક્રમમાં ભાજઙ્કઙ્ગા 42 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.
સ્કૂટર રેલીમાં અને જાહેર સભામાં લોકસભા 10 ના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ જોશી, વશરામભાઈ સાગઠીયા, રહીમભાઈ સોરા, ગાયત્રીબા વાઘેલા, મેઘજીભાઈ રાઠોડ, શિવલાલભાઈ બારસીયા, દીપ્તિબેન સોલંકી, ડોક્ટર હેમાંગ વસાવડા, યુનુસભાઈ જુણેજા, ઈન્દુભા રાઓલ , નયનાબા જાડેજા, જશવંતસિંહ ભટ્ટી, ઠાકરશી ગજેરા, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદતભાઇ રાવલ સુરેશભાઈ ગેરૈયા, શિવુભા જાડેજા, જય કારિયા, રાજુભાઈ ચાવડીયા, અરવિંદભાઈ મુછડીયા, નરેશભાઈ પરમાર, પ્રકાશભાઈ ચાવડા, ભરતભાઈ મકવાણા, જગાભાઈ મોરી, તુષાર નંદાણી, જગદીશભાઈ મોરી, રાજુભાઈ ચાવડીયા, દિલીપભાઈ આસવાણી, રહીમભાઈ સોરા, નાથાભાઈ કિયાડા, લાધાભાઈ બોરસદિયા, હિતેશભાઈ વોરા, રસીલાબેન ગેરૈયા, દિપ્તીબેન સોલંકી, રાજુભાઈ આમરાણીયા, ઇબ્રાહીમ સોરા, પ્રભાતભાઈ હુંબલ, દિનેશભાઈ ખાટરીયા, હાર્દિક રાજપુત, અરુણ કાપડિયા શૈલેષ દેથરીયા, ભરત મકવાણા, ગોવિંદ સભાયા, દીપક મકવાણા, રાહુલ ભુવા, પંકજ દુધાગરા, હરેશ પરમાર, ગીરીબાપુ, અલ્પેશ ટોપીયા, નયનાબા જાડેજા, જગદીશ ઠુંગા, રયાભાઈ બાંભવા, અશોકભાઈ દુધાગરા, કાંતિભાઈ અજાણી, ઉત્તમ રાઠોડ, કે કે પરમાર દિનેશભાઈ જોશી, હિતેશભાઈ પ્રજાપતિ, ડી.કે આહીર સહિતના રાજકીય, સામાજિક કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech