વિનાશના ખૌફનાક દ્રશ્યો સામે આવ્યા: નવા બનેલા રસ્તાઓનું પણ ધોવાણ થઇ ગયું: ઘરવખરી, ખેતીની નુકશાનીનો આંક પણ ચોંકાવનારો નીકળશે
જન્માષ્ટમીના આ વખતેના તહેવારો લોકો માટે ભારે મુશ્કેલીજનક રહ્યા હતાં, મેઘરાજાએ કોપાયમાન બનીને જામનગર-દ્વારકા સહિત સમગ્ર હાલાર પર જાણે બારે મેઘ ખાગા કરી દીધા હોય તેવી સ્થિતી સર્જાઇ હતી, અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર થતા અનેક વિસ્તારો જળની જકડમાં આવી ગયા હતાં અને પુરના પાણી ઓસયર્િ બાદ વિનાશના વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, અહિંના નાગેશ્ર્વર જતો રસ્તો પુરના પાણીથી તબાહ થઇ ગયો છે, નવા બનેલા બેઠા પુલની જે ર્દુદશા છે તે આ તસ્વીરોમાં જોઇ શકાય છે અને વાસ્તવમાં પુરના પાણી ઓસયર્િ બાદ ભ્રષ્ટાચારના ભાંડા ફુટ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે, તબાહીનો આપતો ખુબજ ચોકાવનારો છે, લગભગ તમામ માર્ગોના ધોવાણ થઇ ગયા છે, ઘરવખરી, ખેતીને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે, સાચી રીતે સર્વે થશે તો તબાહીનો આકડો સામે આવશે પરંતુ સવાલ એ ઉઠે છે કે રોડ-રસ્તાના કામમાં કેટલી હદે ગોબાચારી થાય છે તેના જીવતા જાગતા પુરાવા મળ્યા છે ત્યારે જોવાનું એ છે કે આવા ભ્રષ્ટાચારીઓ પર રાજય સરકાર લાલ આંખ કરે છે કે નહિં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત વિરુદ્ધ પ્રચાર ફેલાવવા બદલ ચાર બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલ બ્લોક
May 10, 2025 03:01 PMમિલકત વેરા વળતર યોજના:૧,૮૬,૪૫૯ કરદાતાઓએ ૧૧૭ કરોડ ભરપાઇ કર્યા
May 10, 2025 02:48 PMરાજકોટમાં દરરોજ ૩૮ આવશ્યક ચીજનાભાવનું મોનિટરિંગ કરવા કલેક્ટરનો આદેશ
May 10, 2025 02:43 PMખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech