શ્રાવણ વદ પાંચમ ને શનિવાર ૨૪ ઓગસ્ટ આ દિવસે રાંધણ છઠ્ઠ છે. શનિવારે સવાર ના ૭.૫૧ સુધી જ પાંચમ તિથિ છે ત્યાર બાદ આખો દિવસ રાત્રી છઠ્ઠ તીથી છે આથી શનિવારે રાંધણ છઠ્ઠ છે શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને તેમા પણ જન્માષ્ટમી પુર્વે રાંધણ છઠ્ઠનો તહેવાર આવે છે આ તહેવાર મા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર મા સવારથી સાંજ સુધી રસોડામાં મહિલાઓ મિષ્ઠાન સહિતની વાનગીઓ રસોઈ બનાવી અને ચુલો ઠારવાની પરંપરા નીભાવશે.રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવાતા
નથી. આથી મહિલાઓ છઠ્ઠના દિવસ બધી રસોઈ બનાવે છે.
ચુલા નું પૂજન:-અત્યારના જમાના પ્રમાણે જુના ચૂલા કે સગડી કોઈપણ ના ઘરે હોતા નથી આથી આધુનિક ગેસ ના ચુલાનું પણ પૂજન કરી શકાય છે રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઈ બનાવી રાત્રે ચુલો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા, રૂ ના નાગલા ચુંદડી કંકુ, ચોખા, ચંદન, અબીલગુલાલથી પૂજન કરવું આમ ચુલા નુ પૂજન કરવું. ઘણી જગ્યાએ ચૂલો ઠાર્યા પછી તેના ઉપર આંબાની ડાળ પણ મૂકે છે
ચુલો ઠારવા નુ મુહૂર્તઃ-
શનીવારે બપોર ચલ લાભ અમૃત ચોઘડિયામા ૧૨.૪૯ થી ૫.૩૪
રાત્રે લાભ ૭.૧૦ થી ૮.૩૪... શુભ ૧૦ થી ૧૧.૨૪
જયોતિષની દ્રષ્ટિએ છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. સૂર્યમા અગ્નિતત્વ રહેલ છે. રસોઈમા પણ અગ્નિ તત્વનું મહત્વ વધારે છે અને રસોઈ ઘરમા માતાજી અન્નપૂર્ણાનો વાસ છે. આમ તહેવારોમાં રાંધણ છઠ્ઠ નું મહત્વ વધારે છે. રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલી વાનગી વધારે સ્વાદિષ્ટ થાય છે.
શાસ્ત્રી રાજદીપ જોષી (વૈદાંતરત્ન)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech