શહેરમાં હાર્ટઅટેકથી મૃત્યુ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શાપરમાં ૫૪ વર્ષીય મહિલા અને આનંદનગર કોલોનીમાં ૫૬ વર્ષીય પ્રૌઢનું હૃદયથંભી જતા અંતિમ શ્વાસ લીધા હતા.
પ્રા વિગત મુજબ શાપરમાં ટીલાળા ગેઇટ પૂજા કાસ્ટીંગ પાસે રહેતાં મુળ બિહારના પૂનમદેવી રામજીસિંગ ભારદ્રાજ (ઉ.વ.૫૪) નામના મહિલા સાંજે ઘરે હતાં ત્યારે છાતીમાં દુ:ખાવો થતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. મૃતકના પતિ હયાત નથી. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. બનાવ અંગે શાપર પોલીસે જરી કાગળો કર્યા હતા.
બીજા બનાવમાં કોઠારીયા રોડ પર આનંદનગર કોલોની બી–૧૧માં રહેતાં કમલેશભાઇ ગુલાબરાય પાટડીયા (ઉ.વ.૫૬)નામના પ્રૌઢ રાત્રીના ઘરે જમીને ઉભા થવા જતા ત્યાં જ ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં. યાં તેમને જોઈ તપાસી ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ચાંદીના શો મમાં કામ કરતા હતા. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ અંગે આજીડેમ પોલીસે જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકતાર સરકારનો ટ્રમ્પને બોઇંગ 747-8 જમ્બો જેટ ભેટમાં આપવાનો ઇનકાર
May 12, 2025 10:57 AMકોઈ ભારતીય પાયલોટ કસ્ટડીમાં નથી, અમારા એક વિમાનને નુકસાન થયું: પાકિસ્તાની સેના
May 12, 2025 10:50 AMયુક્રેન અને રશિયા વચ્ચે ગુરુવારે તુર્કીમાં મહત્વની બેઠક
May 12, 2025 10:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech