કિસાનચોક, હિરાસરવાસ,ટીટોડીવાડી, ન્યુ જેલરોડ વિસ્તારમાં કોર્પોરેશનનો સર્વે શરૂ, જીજી હોસ્પિટલમાં દરરોજ ૮ થી ૧૦ દર્દીઓ ઝાડા ઉલટીના હોય દાખલ કરાઈ
ઉનાળાની સીઝનમાં લોકો પાણી વધુ પીએ છે, અને આ સિઝનમાં લોકો ઠંડાપીણા, બરફગોલા, આઇસક્રીમ વગેરે ચીજવસ્તુઓ ખૂબ ખાતા હોય છે. તેથી ઉનાળામાં પાણીજન્ય રોગ જેમ કે કોલેરા ઝાડા, ઉલટી થવાનો ભય સૌથી વધુ રહેતો હોય છે. અમદાવાદ અને સુરતમાં કોલેરાના નોંધપાત્ર કેસ જોવા મળ્યા છે.
જામનગરમાં પણ કિસાન ચોક, હિરાસરવાસ, ટીટોડીવાડી, ન્યુ જેલ રોડ વગેરે વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોની સંખ્યા વધી છે. આ વિસ્તારમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જાય છે જેથી પાણીજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છે.
જામનગરમાં જી. જી. હોસ્પિટલમાં ઝાડા ઉલટીના ૧૦ થી ૧૨ કેસો નોંધાયા છે, ઓ. પી. ડી.માં પણ ૪૦ જેટલા લોકો દાખલ છે જેની સારવાર ચાલી રહી છે આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ૩૦ થી ૪૦ જેટલા દર્દીઓ છે જેને ઝાડા ઉલટી છે અને કોલેરા થવાનો ભય છે.
કોલેરાનો રોગ સામાન્ય રીતે દુષિત પાણીથી થતો હોય છે. ધણી વખત ખાવાની કોઈ ચીજવસ્તુઓમાં દુષિત પાણીનો ઉપયોગ થયો હોય તો તેનાથી પણ કોલેરા થઈ શકે છે. ચોમાસાના આગમન સાથે દુષિત પાણીથી થતાં રોગો વધી શકે છે, બની શકે ત્યાં સુધી ઠંડો અને વાસી ખોરાક ખાવાથી બચવું જોઈએ.
કોર્પોરેશને પણ આ સિઝન દરમિયાન વધુ જાગૃતતા દાખવવી જોઈએ. ચોમાસા દરમિયાન પીવાના પાણીની લાઈનમાં લીકેજને કારણે દુષિત પાણી ન ભળે તે ધ્યાન રાખવું જોઈએ. પીવાના પાણીને તંત્ર દ્વારા વધુ કલોરિનેશન કરવામાં આવે અને સાથે તંત્ર દ્વારા પાણીજન્ય રોગોથી બચવાના ઉપાયો કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.
પાણીજન્ય રોગોથી બચવા ઉકાળેલું પાણી ઠંડું કરીને પીવું જોઈએ અને બહારનો ખોરાક તેમજ વાસી ખોરાક ખાવાથી બચવું જોઈએ. શહેરમાં હાલ કોલેરાનો ભય નથી પરંતુ ચોમાસાની સિઝનમાં ખાણીપીણીમાં વધુ તકેદારી રાખવી જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech