પોરબંદરના બોખીરા વિસ્તારમાં ભંગાર હાલતમાં ફેરવાયેલા રસ્તાને લીધે લોકોને પારાવાર પરેશાની વેઠવી પડી રહી છે અને તે અંગે માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર જાગ્યુ નથી તેથી લોકઆક્રોશ વધવા પામ્યો છે.
પોરબંદરના બોખીરામાં આવેલા રીલાયન્સ પેટ્રોલપંપથી બોખીરા બસસ્ટેશન થઇને નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના ઘર તરફ જતો રસ્તો અને બોખીરા બસ સ્ટેશનથી જયુબેલીપુલ તરફ જતો રસ્તો બિસ્માર બન્યો છે અને રસ્તાનું ધોવાણ થયુ છે. આ મુદે વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી માટે માર્ગ અને મકાન વિભાગ જાગ્યુ નથી અને માત્ર લુખ્ખા આશ્ર્વાસનો અપાયા છે તથા ચોમાસુ પૂર્ણ થાય તેની રાહ જોવાઇ રહી છે. આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે તે ઉપરાંત સરકારીઅને ખાનગીશાળાઓથી માંડીને ઓલ વેધર પોર્ટ તરફ જતા વાહનોને પણ આ રસ્તો લાગુ પડે છે તેથી ભંગાર હાલતના આ રસ્તા પરથી પસાર થઇને અનેક લોકોના કમરના મણકા ખસી ગયા છે. તંત્ર વહેલીતકે આ બીસ્માર રસ્તાનું સમારકામ કરાવી આપે તે જરી બન્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMથેન્ક્યુ ઇન્ડિયા: ભારતે અબ્દુલ અઝહરનો સફાયો કર્યો, અમેરિકાએ કહ્યું- ન્યાય થયો
May 09, 2025 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech